પ્રાચીન સમયથી ગોળને સ્વાસ્થ્ય માટે અમૃત માનવામાં આવ્યું છે. જો તમે પણ ગળ્યાના શોખીન છો તો એને તમારા ડાયટમાં જરૂરથી સામેલ કરો. મજાની વાત એ છે કે એને ડાયાબિટીસના દર્દીઓ પણ ખાઇ શકે છે. કારણ કે આ અનરિફાઇન્ડ નેચરલ શુગર છે જેનાથી ડાયાબિટીક દર્દીઓને નુકસાન પહોંચાડતા નથી.
1 કપ છીણેલા મૂળામાં ગોળ અને લીંબુનો રસ મિક્સ કરીને 10 મિનીટ સુધી બનાવીને તૈયાર કરો અને દરરોજ 1 ચમચી સેવન કરવાથી અસ્થમાથી રાહત મળશે.
ગોળ પેટથી જોડાયેલી ઘણી સમસ્યાનો રામબાણ ઇલાજ છે જેમ કે ગેસ એસિડીટી અને ભૂખ ના લાગવી આ ઉપરાંત ગોળ સિંધારું અને મરી મિક્સ કરીને ખાવાથી ખાટા ઓડકારથી છુટકારો મળે છે.
ગોળમાં સોડિયમ અને પોટેશિયમ મળી આવે છે. આ શરીરમાં એસિડના પ્રમાણને કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે.
ગોળમાં એન્ટી ઓક્સીડેન્ટ અને મિનરલ્સ મળી આવે છે જે આપણી રોગ પ્રતિરોધક ક્ષમતાને મજબૂત બનાવે છે. એના સેવનથી શરદી ખાંસી ડેવી બિમારીઓથી રાહત મળે છે.
ગોળમાં આયરનનું ભરપૂર માત્રા મળી આવે છે. એનિમિયાથી ગ્રસ્ત લોકો માટે ખૂબ ફાયદાકારક રહે છે.
જ્યારે પણ તમે થાક મહેસૂસ કરો છો તો ગોળ ખાઇ લો. આપણા શરીરને ઊર્જા પ્રદાન કરે છે.
પીરિયડ્સ દરમિયાન મહિલાઓને ચીડિયાપણ થઇ જાય છે. ગોળનું સેવન ચીડિયાપણને દૂર રાખે છે અને દુખાવાથી પણ રાહત અપાવે છે.
ગોળને ઘી ની સાથે ગરમ કરીને ખાવાથી કાનનો દુખાનો ગુમ થઇ જાય છે.
જે લોકોને નાકની એલર્જીની સમસ્યા હોય છે અને સવારે ઊઠતા જ છીંક આવવાની શરૂ થઇ જાય છે એને સવારે ખાલી પેટ 1 ચમચી ગિલોય અને 2 ચમચી આંબળાના રસની સાથે ગોળ લેવો જોઇએ. એનાથી રાહત મળશે.