ચીનમાં કોરોના વાયરસના કારણે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો છે. ચીનમાં કોરોના વાયરસના કારણે 80 લોકોના મોત થઈ ચૂક્યા છે. ચીનમાં વાયરસના 2300 કેસ સામે આવ્યા છે તો બીજી તરફ અમેરિકા અને રાજસ્થાનમાં પણ કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે. વાયરસના કારણે ચીનના 5 શહેરને પણ સીલ કરી દેવામાં આવ્યા છે અને લોકોની અવર જવર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ચીનના વુહાન પ્રાંતમાંથી આ વાયરસ ફેલાયો છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે વુહાન પ્રાંતમાં અલગ અલગ પ્રકારના જાનવરોના માંસ અને સી ફૂડ વેચાય છે. જેથી વુહાન પ્રાંતના 5 શહેરને સીલ કરી દેવામાં આવ્યા છે.
ચીનમાં કોરાના વાયરસનો કહેર યથાવત, 80 લોકોના મોત
અમેરિકા અને ભારતમાં સંકટને લઈને એલર્ટ
ચીનના વુહાન પ્રાંતના 5 શહેર સીલ કરાયા
Suspected case of coronavirus reported in Rajasthan
રાજસ્થાનમાં કોરોના વાયરસના 5 સંદિગ્ધ કેસ જોવા મળ્યા છે. રાજ્ય આરોગ્યમંત્રીના જણાવ્યા અનુસાર દર્દીને અલગ રાખવામાં આવ્યા છે. ચીનથી આવેલા ભારતના એક ડોક્ટરમાં પણ આ લક્ષણો જોવા મળતાં તેને એસએમએસ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે.
United States health agency reports five confirmed cases of coronavirus in US: AFP news agency
અમેરિકા અને રાજસ્થાનમાં પણ કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે. અમેરિકામાં એક કેસ મળતાં જ અમેરિકાએ પગલાં લેવાની શરૂઆત કરી છે અને એલર્ટ જાહેર કર્યું છે.
ચીનમાં મૃત્યુ પામનારાની સંખ્યા વધીને 56 થઈ
ચીનથી શરૂ કરીને 10થી વધારે શહેરોમાં ફેલાઈ ચૂકેલા કોરોના વાયરસે 15 લોકોના જીવ લીધા છે. શનિવારે 400 નવા સંક્રામક રોગીઓ તેના લપેટામાં આવ્યા હતા. હાલ સુધીમાં સંક્રમિત લોકોની સંખ્યા 2000થી વધારે પહોંચી છે. 237ની હાલત ગંભીર છે અને સાથે 1965 લોકોની સારવાર ચાલી રહી છે. કોરાના વાયરસનો ગઢ વુહાનમાં ફસાયેલા 250 ભારતીય વિદ્યાર્થીઓને પરત આવવાની પરવાનગી આપવામાં આવી છે.
અવર જવર પર મૂકાયો પ્રતિબંધ
કોરોના વાયરસની અસર સામાન્ય લોકો પર પણ થઈ રહી છે. જેના કારણે અહીં આવન જાવન કરનારા લોકોને રોકવામાં આવી રહ્યા છે. અહીંના લોકોને ઘરમાં કેજ કરી દેવાયા છે. સપ્લાયર્સની ટ્રક અને બસને નક્કી સમયે ચલાવવામાં આવી રહી છે. આ શહેરમાં 40 ડોક્ટર્સની ટીમ રાખવામાં આવી છે. સેનાના 450 ચિકિત્સક અહીં કામ કરી રહ્યા છે.
ચીનના ડોક્ટરોએ કર્યો આ દાવો
કોરોના વાયરસ આંખોથી ફેલાય છે. ગ્રસિત દર્દીને અડ્યા બાદ જો તે હાથ તમારી આંખ પર લાગે છે તો ઈન્ફેક્શન લાગી શકે છે. આ સિવાય છીંક અને કફમાં નીકળેલા કીટાણુઓ આંખો સુધી પહોંચીને વ્યક્તિને રોગી બનાવી રહ્યા છે. નાક અને મોઢા પર માસ્ક પહેરવા અને ચશ્મા પહેરવામાં જ સાવધાની જણાવવામાં આવી રહી છે.