બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / એક વાટકી દહીં રાખશે અનેક બીમારીને દૂર, જાણો ખાવાનો યોગ્ય સમય?

હેલ્થ / એક વાટકી દહીં રાખશે અનેક બીમારીને દૂર, જાણો ખાવાનો યોગ્ય સમય?

Last Updated: 11:15 PM, 17 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દહીં સ્વસ્થ્ય માટે અત્યંત ફાયદાકાર માનવામાં આવે છે. તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. પાચનમાં મદદ મળે છે. અને હાઈ બીપીમાં પણ મદદગાર સાબિત થાય છે.

અનેક લોકો પોતાના ભોજનમાં દહીંનો સમાવેશ કરે છે. પણ શું તમે જાણો છો કે તેને ખાવાનો યોગ્ય સમય કયો છે? જો તમે સવારે નાસ્તામાં દહીંનું સેવન કરો છો તો તેનાથી અનેક ફાયદા થાય છે. નાસ્તામાં દહીં ખાવાની પરંપરા સદીઓ જૂની છે. ચાલો જાણીએ કે, નાસ્તામાં દહીં ખાવાથી તમારા સ્વાસ્થ્ય પર કેવી અસર પડી શકે છે.

એક વાટકી દહીંનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં રહેલા પ્રોબાયોટિક તત્વો અને ભરપૂર માત્રામાં બીજા પોષક તત્વો પાચન અને રોગપ્રતિકારક શક્તિ સુધારવા અને હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

  • વિટામિન સી
    નાસ્તામાં દહીં ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. તેનું કારણ એ છે કે દહીંમાં વિટામિન સી હોય છે જે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને તમને અનેક બીમારીઓથી બચાવવામાં મદદ કરી શકે છે. તે બેક્ટેરિયા અને વાયરસથી થતા અનેક રોગો સામે રક્ષણ આપવામાં મદદ કરી શકે છે. આ સિવાય તે ફ્લૂ વગેરે જેવા મોસમી બીમારીને રોકવામાં પણ મદદરૂપ થાય છે.
Curd
  • Ph સંતુલનમાં મદદરૂપ
    દહીંની ખાસ વાત એ છે કે તેમાં લેક્ટોબેસિલસ બેક્ટેરિયા હોય છે જે માઇક્રોબાયલ બેલેન્સને સુધારે છે. દહીંમાં એન્ટીઑકિસડન્ટ અને પ્રોબાયોટિક તત્વોની હાજરીને કારણે, તે માઇક્રોબાયલ બેલેન્સ સુધારે છે. તે પાચનમાં મદદ કરે છે અને શરીરના pH ને સંતુલિત કરવામાં પણ મદદ કરે છે.

વધુ વાંચો : એક મહિના સુધી એક ચમચી આમળાના પાવડરને નવસેકા પાણી સાથે લો, થશે આ 5 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ

  • હાઈ બીપીમાં મદદગાર
    હાઈ બીપીના દર્દીઓ માટે દહીંનું સેવન અનેક રીતે ફાયદાકારક હોય છે. દહીંમાં સારી માત્રામાં મેગ્નેશિયમ હોય છે જે તમને બીપીને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે. તેની એક ખાસ વાત એ છે કે તે રક્તકણોને અંદરથી ઠંડુ કરે છે અને બીપીને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Blood Pressure Curd Immunity
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ