બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ગમે તેટલું ખાઓ વજન જ નથી વધતું!, માત્ર 15 દિવસમાં દુબળાઈ થશે દૂર, જાણો કેવી રીતે?

આરોગ્ય / ગમે તેટલું ખાઓ વજન જ નથી વધતું!, માત્ર 15 દિવસમાં દુબળાઈ થશે દૂર, જાણો કેવી રીતે?

Last Updated: 07:24 PM, 1 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્તમાનમાં મોટાભાગના લોકોને શરીરમાં કોઈને કોઈ પ્રકારની કમજોરી હોય છે. શરીરની કમજોરી પાછળ મુખ્ય 5 કારણ છે. તો ચાલો બાબા રામદેવ પાસેથી આ કામજોરીઓને દૂર કરવાના ઘરેલુ ઉપાયો જાણીએ.

દરેક વ્યક્તિને કોઈને કોઈ રીતે શારીરિક દુર્બળતાના શિકાર હોય છે. કોઈને હંમેશા થાક લાગેલો રહે છે તો કોઈને હંમેશા કમજોરી રહે છે. આ બધા પાછળ શરીરમાં 5 ચીજોની ખામી હોય છે. સ્વામી રામદેવ આ બાબતે સ્વામી રામદેવ વિસ્તારથી જણાવે છે. તેમણે કહ્યું છે કે ભલે કોઈ પણ શારીરિક દુર્બળતા હોય, આ બધા પાછળ 5 કારણ હોય છે. બાબા રામદેવે આનું પહેલું કારણ જણાવ્યું છે કે લોહીમાં હિમોગ્લોબિનનની ખામી. જો લોહીમાં હિમોગ્લોબિનની ખામી થાય છે ત્યારે આખા શરીરમાં ઓક્સિજન યોગ્ય રીતે નથી પહોંચી શકતું.

Weight-Loss-02

બીજું કારણ છે અન્ડરવેટ એટલે વધારે પાણી પીવા છતાં વજન નથી વધતો. સ્વામી રામદેવે જણાવ્યું કે શરીરમાં કમજોરીનું ત્રીજું કારણ છે વિટામિનની ખામી. ખાસ કરીને વિટામિન B12ની ખામી. આ બાદ ચોથું કારણ અષ્ટધાતુની ખામી અને પાંચમું કારણ અપચો જણાવ્યું. તમે ગમે તેટલું ખાઈ લો જો શરીરમાં તેનું પાચન યોગ્ય રીતે થશે નહીં. તો ચાલો જાણીએ આ ખામી દૂર કરવા શું કરવું.

weight-gain-final

હિમોગ્લોબિનની ખામી કેવી રીતે દૂર કરવી

બાબા રામદેવે જણાવ્યું કે  જો શરીરમાં હિમોગ્લોબિનની ખામી થાય તો લીલા શાકભાજી ખાવી. આ સિવાય આંબળા અને ટમેટાનું સૂપ પીવું અને કપાલભાતિ કરવું. આ સિવાય બીટરૂટ, દાડમ વગેરે દ્વારા પણ હિમોગ્લોબિન વધારી શકાય છે.  

PROMOTIONAL 12

અંડરવેટ કેવી રીતે દૂર કરવો

બાબા રામદેવ જણાવે છે કે ઘણા લોકો વધારે વજનથી પરેશાન છે પરંતુ અમુક લોકોને અંડરવેટ પણ છે. જે લોકો અંડરવેટ છે તમને પેટમાં સમસ્યાના કારણે અંડરવેટ તો નથી. જો આવું છે તો ડોક્ટર પાસે ઈલાજ કરાવવો. આ સિવાય પણ વજન નથી વધતો તો ખજૂર ખાઈને વજન વધારવો. આ સાથે અંજીર, કિસમિસને પલાળીને ખાવા. જો ઝડપથી વજન વધારવો હોય તો સવાર-સાંજ ઊઠીને 4-5 કેળા દૂધમાં ભેળવીને ખાવા. રોજ 1 ડઝન જેટલા કેળા ખાવા. એક કે બે અઠવાડિયામાં વજન વધશે .      

વધુ વાંચો: આજે વિશ્વ એઇડ્સ દિવસ, આ લક્ષણોને ન કરો નજરઅંદાજ, હોઈ શકે HIV પોઝિટિવના સંકેત

અન્ય ખામી કેવી રીતે દૂર કરવી

સ્વામી રામદેવે જણાવ્યું કે વિટામિનની ખામી હોય તો ઘણી બધી શાકભાજી ખાવી. તજ ફળ અને અનાજનું સેવન કરવું. આ સાથે જો અષ્ટધાતુની ઉણપ હોય તો સૂકી દ્રાક્ષ અને કિસમિસ પાણીમાં પલાળીને ખાવા, પરંતુ તેની સાથે દરરોજ એક ચમચી શતાવરીનું સેવન કરવું. પીળી શતાવરી ખૂબ ફાયદાકારક છે. આનું ચૂર્ણ બનાવીને ખાવું. અને જો અપચાની સમસ્યા છે તો તેનો ઈલાજ કારવાવો પડશે. જોકે ઉપર જે ચીજો જણાવી છે તેનું સેવન કરવાથી પણ પેટની સમસ્યા દૂર થાય છે.  

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

wight loss baba Ramdev health tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ