કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેનની પ્રતિક્રિયા સામે આવી છે ગેરેનીબેને ભાજપ સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે ભાજપના રાજમાં ફટાકડાની જગ્યાએ પેપર ફુટે છે, પેપર ફુટ્યા બાદ યુવાનોના સપનાઓ રોળાય ગયા છે.
અસિત વોરાને દૂર કરો, નહીં તો આંદોલન થશે : યુવરાજસિંહ
સરકારને ત્રણ દિવસનું અલ્ટિમેટમ : યુવરાજસિંહ
હેડક્લાર્કની ભરતી માટે યોજાયેલી પરીક્ષાનું પેપર ફુટી જતા ઘમાસાણ સર્જાયું છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેનનું પ્રતિક્રાય સામે આવી છે ગેરેનીબેને ભાજપ સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે ભાજપના રાજમાં ફટકડાની જગ્યાએ પેપર ફુટે છે, એકેડેમી સાથે સેટિંગની આ પેપર ફુટે છે, તેમજ પેપર ફોડનાર પર કોઈ જ કાર્યવાહી થતી નથી, પેપર ફુટ્યા બાદ યુવાનોના સપનાઓ રોળાય ગયા છે.
પેપર લીક કેસમાં અમદાવાદ સુધી ખુલ્યા તાર
મહત્વનું છે કે પેપરકાંડ મામલે હાલ પોલીસ દ્વારા 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ત્યારે પેપર લીક કેસમાં તાર અમદાવાદ સુધી હોવાનું સામે આવ્યું છે જે બાદ આજે પેપર લીક કેસના આરોપી મનાતા રાણીપના મહેશ પટેલની ધરપકડ કરવામાં આવી છે આરોપીની ધરપકડ કરાતા VTV NEWS મહેશ પટેલના ઘરે પહોંચ્યુ હતું,પેપર લીક મામલે પરિવારજનો અજાણ હોવાનું દાવો કરી રહ્યા છે.
દોષિતોને દાખલારૂપ સજાની ઉમેદવારોએ કરી માંગ
પેપરલીક કેસમાં આરોપીઓની ધરપકડ બાદ ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે, પેપરકાંડમાં સંડોવાયેલા તમામને દાખલારૂપ સજા મળે,દોષિતોને કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલે તેમજ હેડક્લાર્કની પરીક્ષા ફરી લેવામાં આવે તેવી માગં ઉમેદવારો દ્વારા કરવામાં આવી છે.
ગૃહ વિભાગ સાથેના સંકલન બાદ લેવાશે નિર્ણય-અસીત વોરા
હેડક્લાર્કનું પેપર ફુટી ગયા બાદ હવે પેપરકાંડમાં સંડોવાયેલા 6 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે, તેમજ ગૃહરાજ્યમંત્રીએ પણ ન્યાયીક તપાસના આદેશ આપ્યા છે, તેમજ દોષિતોને કોઈ પણ ભોગે છોડવામાં નહીં આવે તેવું જણાવ્યું છે ત્યારે આજે ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાનું નિવેદન પણ સામે આવ્યું છે. અસિત વોરાએ VTV સાથે ટેલીફોનીક કરી વાતચીતમાં કહ્યું છે કે હેડ ક્લાર્ક પરીક્ષા બાબતે ટૂંક સમયમાં પ્રેસ કરી નિર્ણય જાહેર કરાશે, ગૃહ વિભાગ સાથેના સંકલન બાદ યોગ્ય નિર્ણય લેવાશે.
અસિત વોરાને દૂર કરો, નહીં તો આંદોલન થશે : યુવરાજસિંહ
પેપરલીક બાદ રાજ્યમાં તંત્રનું સફાળું જાગ્યું છે અને દોષિતોને પકડવા તંત્ર સજ્જ બન્યું છે, મહત્વનું છે કે હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટી ગયાનું આખરે સરકારે 6 દિવસ બાદ સત્તાવાર રીતે કબૂલ કર્યું છે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ કરી હતી. આ મામલે અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ કરાઈ છે અને ચાર લોકોની શોધખોળ શરૂ કરાઈ છે. બીજી તરફ, યુવરાજસિંહે સરકારને 72 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે કે અસિત વોરાને દૂર કરો, નહીં તો ફરી રસ્તા પર આંદોલન થશે.
સરકારને ત્રણ દિવસનું અલ્ટિમેટમ : યુવરાજસિંહ
આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહે કહ્યું હતું કે અમે નથી ઈચ્છતા કે પરીક્ષા રદ થાય, જ્યાં સુધી આ મુદ્દે તપાસ ચાલે છે ત્યાં સુધી અસિત વોરાને તેમના પદથી દૂર કરવામાં આવે. તેમણે એવો આક્ષેપ પણ કર્યો હતો કે પેપર લીક કરનારા સૂત્રધારોને રાજકીય નેતાઓનું પીઠબળ છે. અમે અસિત વોરાને તેમના પદ પરથી હટાવવા માટે સરકારને ત્રણ દિવસનું અલ્ટિમેટમ આપીએ છીએ. જો તેમને દૂર નહીં કરાય તો અમે આંદોલન કરીશું. આ કેસમાં સરકારે દાખલ કરેલી તમામ કલમો હળવી છે. આરોપીઓ સામે રાજદ્રોહની કલમો લગાવવી જોઈએ.