ગૌણ સેવા પસંદગી બોર્ડના ચેરમેન અસિત વોરાએ સાબરકાંઠા SPને મેઈલ કર્યો હતો, મેઈલ બાદ SPએ LCBને તપાસ સોંપતા આજે ફરિયાદ દાખલ થાય તેવું લાગી રહ્યું છે
હેડકલાર્ક પેપરલીક કેસમાં એકશનમાં પોલીસ
અસિત વોરાએ સાબરકાંઠા SPને મેઈલ કર્યો
LCBને તપાસ સોંપતા આજે ફરિયાદ દાખલ થશે
હેડકલાર્ક પેપરલીક કેસમાં પોલીસ એકશનમાં આવી છે, અત્યાર સુધી પેપર લીકનો ઇન્કાર કરનારા અને ફરિયાદ મળશે તો જ પગલા ભરાશે તેવું કહેનારાં વોરાએ સાબરકાંઠા પોલિસને ઇમેઇલ કરી જાણ કરી છે. આપના નેતા યુવરાજ જાડેજાએ આ મામલો બહાર લાવવાના પ્રયત્નો કર્યાં હતાં અને ગૌણ સેવા મંડળને પેપર લીક થયાંની જાણકારી આપી હતી છતાં તેને મંડળે અવગણ્યો હતો.ત્યારે અસિત વોરાએ સાબરકાંઠા SPને મેઈલ કર્યો છે જે બાદ SPએ LCBને તપાસ સોંપતા આજે ફરિયાદ દાખલ થાય તેવું લાગી રહ્યું છે
મહત્વનું છે કે પ્રાંતિજ પોલીસ સ્ટેશનની સ્ટેશન ડાયરી હિંમતનગર મંગાવામાં આવી છે, પેપરલીક મામલે જે આરોપીઓના નામ સામે આવ્યા છે તે હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે, ત્યારે આજે પ્રાંતિજના PI સવારે 10 વાગ્યની આસપાસ એસપી કચેરીએ જશે તેવું લાગી રહ્યું છે.બુધવારે જાડેજાએ આ અંગેના પૂરાવા આપીને સરકાર બે દિવસમાં પેપર લીક થયેલું જાહેર કરી પગલાં લે નહીંતર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપતાં હવે સરકાર પણ હરકતમાં આવી છે. હવે સરકાર પર
પેપરલીક થયું હોય તેવા કોઈ જ નક્કર પુરાવા નથી મળ્યા
હેડ ક્લાર્કની પરીક્ષામાં પેપર લીક મામલે બોર્ડના ચેરમેન અસિત વોરાએ ગઈ કાલે ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, રાજ્યમાં 88 હજાર ઉમેદવારોએ હેડ કલાર્કની પરીક્ષા આપી છે, સરકારને બીજા દિવસે ટીવી મીડિયાથી અમને ખબર પડી કે પેપરલીક થયું છે. મંડળ પાસે આજદિન સુધીમાં પેપરલીક મામલે કોઈ જ ફરિયાદ આવી નથી. હાલ આ મામલે સાબરકાંઠામાં 16 ટીમો દ્વારા સઘન તપાસ ચાલી રહી છે.અને જો ગેરરીતિ જણાશે તો કડકમાં કડક પગલાં લેવાશે. તેમજ તેણે ઉમેર્યું હતું કે, પેપરલીક થયું હોય તેવા કોઈ જ નક્કર પુરાવા અમને મળ્યા નથી, પોલીસને કોઈ પુરાવા મળશે તો મંડળ ફરિયાદ દાખલ કરશે.
GSSSBના ચેરમેનની શંકાસ્પદ ભૂમિકા
હેડ ક્લાર્ક પેપર લીક આક્ષેપ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, અમે ગૌણ સેવાના સચિવને પુરાવા આપ્યા હતા. 2 વાગ્યે પેપર ફૂંટ્યા અંગે જાણ કરી હતી. પરંતુ તેમણે કહ્યું કે ઓથેન્ટિંગ પુરાવા આપો. હવે તેઓ કયા પુરાવાને ઓથેન્ટિંગ માને છે તે અમને નથી ખબર. આ પેપર લીકની તપાસમાં GSSSBના ચેરમેનની શંકાસ્પદ ભૂમિકા છે, તેથી તપાસમાંથી અસિત વોરા ને દૂર કરવામાં આવે એવી માંગ છે. અમે અસિત વોરાને તપાસથી દુર કરીને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. અસિત વોરા અધ્યક્ષ હતા ત્યારે અનેક કૌભાંડ થયા છે. અસિત વોરાને અધ્યક્ષ પદેથી દુર કરવામાં આવે.