ટીમ ઇન્ડિયાએ સાઉથ આફ્રીકા સામે જોહાનિસબર્ગમાં બીજી ટેસ્ટ મેચની સાથે સિરીઝ જીતવાની તક પણ ગુમાવી દીધી હતી. હવે કોચ દ્રવિડ આ ખેલાડીથી નારાજ છે.
હાર બાદ કોચ દ્રવિડ નારાજ
આગલી મૅચમાં નહી રમે ખેલાડી?
જુઓ રાહુલે શું આપ્યું નિવેદન
ત્રીજી મેચની રાહ
ભારતને ત્રીજી ટેસ્ટ મેચના પરિણામની રાહ જોવી પડશે. ભારત આ મેચ જીતી લેત તો 29 વર્ષમાં પહેલીવાર સાઉથ આફ્રીકાની ધરતી પર ટેસ્ટ સિરીઝ પર કકબ્જો કરી લેત. ટીમ ઇન્ડિયાના ખરાબ પ્રદર્શનથી કોચ રાહુલ દ્રવિડ ખુબ નારાજ છે.
આ ખેલાડીથી નારાજ રાહુલ
ભારતીય ટીમે આ મેચમાં 60-70 રન ઓછા બનાવ્યા, જેના માટે રિષભ પંતની ખરાબ બેટિંગને સૌથી મોટું કારણ માનવામાં આવી રહ્યું છે. રિષભ પંત પ્રથમ દાવમાં 17 રન અને બીજી ઇનિંગમાં શૂન્ય રને આઉટ થયો હતો. આ દરમિયાન ઋષભ પંત બીજી ઈનિંગમાં ખરાબ શોટ રમીને આઉટ થઈ ગયો, જેના પછી બધા તેના પર નારાજ છે.
રાહુલ દ્રવિડે આપ્યું મોટું નિવેદન
ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડના કહેવા પ્રમાણે, ઋષભ પંતે શરૂઆતમાં ક્રિઝ પર રહીને પોતાને સમય આપવો જોઈતો હતો. રાહુલ દ્રવિડે કહ્યું, 'મને લાગે છે કે ઋષભ પંતે શરૂઆતમાં ક્રિઝ પર રહીને પોતાને સમય આપવો જોઈતો હતો. ક્યારેક આપણે આક્રમક રીતે રમવાનું છે અને ક્યારે મુશ્કેલ સમયને પાર કરવો છે તે નક્કી કરવાની બાબત છે.
આ સિવાય ભારતીય કોચ રાહુલ દ્રવિડે કહ્યું કે ઋષભ પંતને કોઈ કહેશે નહીં કે તેણે આક્રમક રમત ન રમવી જોઈએ અથવા તેણે સકારાત્મક રીતે રમવું જોઈએ નહીં. પરંતુ કેટલીકવાર તે આવું કરવા માટે યોગ્ય સમય પસંદ કરવાની બાબત છે. પરંતુ અંતે આપણે જાણીએ છીએ કે ઋષભ પંત પાસેથી આપણને શું મળવાનું છે.
રાહુલ દ્રવિડે કહ્યું, 'ઋષભ પંત અત્યારે આ શીખી રહ્યો છે. તે પોતાની શૈલીમાં રમે છે તેથી તે શીખી રહ્યો છે અને વધુ સારો થઈ રહ્યો છે. જોહાનિસબર્ગ ટેસ્ટના બીજા દાવમાં ક્રિઝ પર ઉતર્યા પછી, ત્રીજા બોલ પર, પંતે કાગિસો રબાડાના બોલ પર સિક્સર ફટકારીને વિકેટકીપરને કેચ આપી દીધો. આ પછી તેના બેદરકાર શોટની પણ ભારે ટીકા થઈ હતી.