નાગપુરમાં PM મોદીએ જાહેરસભામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહાર કર્યા હતા PMએ કહ્યું હતું કે અમુક પાર્ટીઓ ભારતની અર્થવ્યવસ્થાને તબાહ કરી દેવા માંગ છે.
નાગપુરમાં PM મોદીની જાહેરસભા યોજાઈ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ AAP પર કર્યા આકરા પ્રહાર
અમુક પાર્ટીઓ ભારતની અર્થવ્યવસ્થાને તબાહ કરી દેવા માંગે છે: PM
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રનાં પ્રવાસે છે. તેમના હસ્તે મુંબઇથી નાગપુર-શિરડીનાં એક્સપ્રેસ હાઇવે, સમૃદ્ધિ માર્ગના પહેલા ચરણનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના મોટા શહેર નાગપુર ખાતે PM મોદીએ મેટ્રોનું ઉદ્ધાટન કર્યું અને તેમાં બેસીને યાત્રા પણ કરી. નાગપુરમાં એક જાહેરસભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા. ત્યારે વડાપ્રધાને જણાવ્યું હતું કે ભારતના રાજકારણમાં વિકૃતિ આવી રહી છે. તેમજ લોકો શોર્ટ કટની રાજનીતિ અપનાવવાની શરૂ કરી છે. ત્યારે વધુમાં તેઓએ અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કરતા કહ્યું કે લોકો રાજકીય સ્વાર્થ માટે દેશનો પૈસો લૂંટાવી દેવીની વિકૃતિ ધરાવે છે અને દેશને આર્થિક નુકશાન પહોચાડ્યું છે અને શોર્ટકટ અપનાવનાર રાજકીય નેતા દેશના કરદાતાના સૌથી મોટા દુશ્મન છે.
A very special day for Maharashtra! A bouquet of development works are being launched from Nagpur, which will transform lives of people. #MahaSamruddhihttps://t.co/8QlJXbRGcs
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રનાં પ્રવાસે છે ત્યારે મુંબઇથી નાગપુર-શિરડીનાં એક્સપ્રેસ હાઇવે, સમૃદ્ધિ માર્ગનાં પહેલા ચરણનું ઉદ્ગાટન તેમના હસ્તક કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રનાં મોટા શહેર નાગપુર ખાતે PM મોદીએ મેટ્રોનું ઉદ્ગાટન કર્યું અને તેમાં બેસીને યાત્રા પણ હતી. પીએમ મોદીનું નાગપુર ખાતે સાંસ્કૃતિક ધોરણે ઢોલ-નગારાં વગાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું.
મેટ્રો ફેઝ-1નું લોકાર્પણ
PM મોદીએ નાગપુર ખાતે મેટ્રોનાં પહેલા ચરણનું લોકાર્પણ કર્યું છે. આ સાથે જ તેમણે નાગપુર મેટ્રો ફેઝ-2 એટલે કે નાગપુર ખાતે મેટ્રોનાં બીજી તબક્કાનાં પાયા પણ નાખ્યાં છે.
महाराष्ट्र: प्रधानमंत्री नरेंद्र मोदी ने 'नागपुर मेट्रो फेज-1' राष्ट्र को समर्पित किया और 'नागपुर मेट्रो फेज-2' का शिलान्यास किया। pic.twitter.com/kkjC5hPHeK
महाराष्ट्र: प्रधानमंत्री नरेंद्र मोदी ने फ्रीडम पार्क से खपरी तक नागपुर मेट्रो की यात्रा की, उन्होंने इस दौरान छात्रों से भी बातचीत की। प्रधानमंत्री ने नागपुर मेट्रो के फ्रीडम पार्क स्टेशन पर अपना टिकट खरीदा। pic.twitter.com/SVguqy7RYP
નાગપુર મેટ્રોમાં કર્યો પ્રવાસ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્રીડમ પાર્કથી ખપરી સુધી નાગપુર મેટ્રોની યાત્રા કરી છે. આ દરમિયાન તેમણે વિદ્યાર્થીઓથી વાર્તાલાપ પણ કર્યો હતો. પ્રધાનમંત્રીએ નાગપુર મેટ્રોનાં ફ્રીડમ પાર્ક સ્ટેશન પર પોતાની ટિકીટ ખરીદી.
महाराष्ट्र; प्रधानमंत्री नरेंद्र मोदी ने नागपुर रेलवे स्टेशन पर नागपुर और बिलासपुर के बीच वंदे भारत एक्सप्रेस ट्रेन को हरी झंडी दिखाई। मुख्यमंत्री एकनाथ शिंदे भी मौजूद रहे। pic.twitter.com/38b50dvSfx
વંદે ભારત એક્સપ્રેસને ગ્રીન સિગ્નલ
વડાપ્રધાન આજે મહારાષ્ટ્રનાં પ્રવાસે છે ત્યારે હાઇવે અને મેટ્રોનાં ઉદ્ગાટનની સાથે તેમણે નાગપુર રેલ્વે સ્ટેશન પર નાગપુર અને બિલાસપુરની વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી છે. આ દરમિયાન મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ હાજર રહ્યાં હતાં.
महाराष्ट्र: प्रधानमंत्री नरेंद्र मोदी ने नागपुर और शिरडी को जोड़ने वाले समृद्धि महामार्ग के पहले चरण का उद्घाटन किया। pic.twitter.com/S0Mkf8bvbT
સમૃદ્ધિ મહામાર્ગનું ઉદ્ગાટન
PM મોદીએ આજે નાગપુર અને શિરડીને જોડતાં 520 કિ.મી લાંબાં સમૃદ્ધિ માર્ગનાં પહેલા ચરણનું ઉદ્ગાટન કર્યું છે. નાગપુર ખાતે ઢોલ વગાડી સાંસ્કૃતિક ધોરણે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
હોસ્પિટલનું પણ ઉદ્ગાટન
પ્રધાનમંત્રી મોદીએ અત્યાધુનિક સુવિધાઓવાળી AIIMS નાગપુરનું પણ ઉદ્ગાટન કર્યું છે. જૂલાઇ 2017માં તેમણે આ હોસ્પિટલનાં પાયા મૂક્યાં હતાં.