ઈરફાન ખાનના અવસાનના એક દિવસ બાદ જ બોલિવૂડના સદાબહાર એક્ટર ઋષિ કપૂરે પણ દુનિયાને અલવિદા કહી દીધું. જેના કારણે સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તેઓ છેલ્લા બે વર્ષથી કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા અને ગુરુવારે 30 એપ્રિલ 2020ની સવારે મુંબઈની હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા. બોલિવૂડના તમામ કલાકારોએ ઋષિ કપૂરના મોત પર દુ:ખ વ્યક્ત કર્યું છે. અમિતાભ બચ્ચનથી લઈને અક્ષય કુમાર, સલમાન ખાન સહિતના તમામ સ્ટાર્સે તેમની મોત પર શોક વ્યક્ત કર્યો છે.
ઈરફાન અને ઋષિના મોતથી બોલિવૂડ જગત આઘાતમાં
24 કલાકમાં બંને દિગ્ગજ સ્ટાર્સે દુનિયાને કહી દીધું અલવિદા
ત્યારે બોલિવૂડના હીમેન ધર્મેન્દ્રએ કહી આ વાત
હવે ઋષિના નિધન પર સુપરસ્ટાર અને બોલિવૂડના હીમેન તરીકે જાણીતા ધર્મેન્દ્રએ પણ ખૂબ દુ:ખ વ્યક્ત કર્યુ છે. તેમણે ટ્વીટ કરી પોતાની સંવેદનાઓ જાહેર કરી છે. તેમણે લખ્યું, આઘાત પછી આઘાત, ઋષિ પણ જતો રહ્યો…તેણે બહાદુરીથી કેન્સર સામે જંગ લડી છે. તે મારા દીકરા જેવો હતો. હું બહુ દુ:ખી છું અને ભાંગી પડ્યો છું. હું તેના પરિવાર માટે દુવાઓ કરું છું.
सदमे के बाद सदमा, रिशी भी चला गया ..He fought a brave battle against cancer.
He was like son to me.I am extremely sad and shattered.Pray for his family 🙏🏻#RishiKapoorpic.twitter.com/jKCD8sYioC
ધર્મન્દ્ર અને ઋષિ કપૂરે સિતમગર, કાતિલો કે કાતિલ, હથિયાર જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. આ ઉપરાંત ફિલ્મ
મેરા નામ જોકરમાં ધર્મેન્દ્ર એક મહત્વના પાત્રમાં હતા અને આ ફિલ્મથી ઋષિએ બાળ કલાકાર તરીકે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.
તમને જણાવી દઈએ કે, ઋષિ કેન્સરની સારવાર કરાવવા માટે એક વર્ષ અમેરિકામાં પણ રહ્યા હતા. અમેરિકામાં સારવાર કરાવ્યા બાદ તેઓ ભારત પરત આવી ગયા હતા અને ફેબ્રુઆરીમાં તબિયત બગડતા તેમને બે વખત હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. મુંબઈથી પરત ફર્યા બાદ તે વાયરલ ફીવરને કારણે ફરી એડમિટ થયા હતા. તેમના મોટાભાઈ રણધીર કપૂરે જણાવ્યું કે, તેમને તાજેતરમાં શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે હોસ્પિટલમાં એડમિટ
કરવામાં આવ્યા હતા. જે બાદ તેમનું નિધન થઈ ગયું.