સવારે રિક્ષા ચલાવે છે અને બપોરે બાળકોને ભણાવે છે. આ છે એવા શિક્ષક જે મુસાફરોને મુકામ સુધી અને બાળકોને તેમના ભવિષ્ય સુધી પહોંચાડે છે... પરંતુ દુઃખ ત્યારે થાય જ્યારે ગોવિંદભાઈએ સફળતા પામી હોવા છતાં પણ સંતોષનો અનુભવ થવામાં હજુ પણ દો નહીં દોસો ગજની દૂરી જેટલું અંતર હોય.
સફળતાની અનોખી કહાણી
પ્યુનથી શિક્ષક સુધીની સફર
મહેનતથી આવ્યા આગળ
ગોવિંદભાઇની કહાણી
મહેનત કરનારો માણસ મહેનત કર્યા બાદ એક વિચાર હંમેશા કરતો હોય છે , કે જે દિશામાં મહેનત કરુ છું તેનું સંતોષકારક પરિણામ આવશે કે નહીં. ગરીબી નામની રેખા વિધાતા જે વ્યક્તિના હાથમાં દોરી દે છે, તેને શોખ, સમય અને પસંદગીનુ બલિદાન આપવું પડે છે. આજે આપણે એક એવા વ્યક્તિ સાથે રૂબરુ થવાના છીએ જેણે વિધાતાએ દોરેલી ગરીબીની રેખાને સરસ્વતિની કૃપાથી હટાવી દીધી છતાં જીવનમાં લક્ષ્મીજી માટે સંઘર્ષ કરતા આ શખ્સની કહાની કભી ખુશી કભી ગમ જેવી છે.
ગોવિંદભાઇ માત્ર રિક્ષાચાલક જ નહી પરંતુ શાળામાં શિક્ષક તરીકેની ફરજ બજાવે છે. તેમની જીવનકથની સાંભળીને તમારી આંખમાં ઝળઝળીયા અને ચહેરા પર સ્મિત બંને એક સાથે આવશે.
વાત છે 1994ની
ઝૂંપડપટ્ટીમાંથી એક સામાન્ય વ્યક્તિ અસામાન્ય થવા નીકળ્યો. સપનુ તો પોલિસ બનવાનુ હતુ પરંતુ ઓછી હાઇટના કારણે ફીઝીકલ ટ્રેનિંગમાં પાસ ન થઇ શકાયુ. હિંમત તો વજ્ર કરતા પણ વધારે મજબૂત હતી એટલે ટૂટી નહી, નવા સપનાને પાંખો આપી અને મુંબઇ રેલ્વેની પરિક્ષા આપી, કોઇ કારણસર તેમાં પણ ન ફાવી શક્યા. બાદમાં તક એવી સર્જાઈ કે સ્કૂલમાં પટ્ટાવાળા તરીકે નોકરી મળી અને કામની ધગશ અને શીખવાની ભૂખે તેમને શિક્ષક સુધીના મુકામે પહોંચાડી દીધાં.
કેવો હતો સંઘર્ષ
ગોવિંદભાઈ આખરે પ્યૂનમાંથી ટીચર કેવી રીતે બન્યાં તેના વિશે પોતાના સંઘર્ષની વાત કરતા કહે છે કે ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષક બનવું હતું પરંતુ ઉંમરબાધના કારણે તેમના પરિશ્રમ પરિણામમાં પરિણમ્યા નહીં. છતાં તેઓ હાર માન્યા નહીં. તેઓ પ્રાઈમરી સ્કૂલના શિક્ષક બન્યાં પરંતુ મોંઘવારીને કારણે તેમના જ્ઞાનની સામે વધુ મોંઘી હતી. જેથી તેમનો પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે પગાર ઓછો પડતો અને જેથી તેમણે વધુ સંઘર્ષ કરવાનું શરૂ કર્યુ.
જીવનમાં વસંત આવી જ્યારે ગોવિંદભાઇએ લગ્ન કર્યા અને સંસાર માંડ્યો, ઘરમાં કિલકારીઓ ગૂંજી અને મગજમાં ફરી એક વિચારે જન્મ લીધો કે બાળકોને આ માહોલમાં નથી રાખવા, તેમને આપી શકાય તે દરેક સુખ આપવું છે. રૂપિયો કમાઇને પાઇ બચાવી, એમ કરીને બાળકોના ભવિષ્યને પાકા મકાન સાથે સિક્યોર કરી લીધું.
ગોવિંદભાઈનું શારિરીક કદ નાનું છે પરંતુ તેમના વિચારો અને મક્કમતાનું કદ ઘણું મોટું છે. આ શખ્સ એવી પ્રેરણા આપે છે કે નસીબ આપણે લઈને આવીએ છીએ પરંતુ બનાવવું તો તેને આપણે જ પડે છે.
ગર્વથી ગુજરાતી
ગોવિંદભાઈનું એક જ માનવું છે કે કોઈ પણ કામ કરવું અઘરું નથી અને માણસ ધારે તો સફળતા ચોક્કસ પ્રાપ્ત થાય છે. પ્યૂનથી ક્લર્ક અને ક્લર્કથી શિક્ષક સુધીની તેમની અથાગ સફરથી હજુ પણ અટક્યાં નથી. અટકીશ નહીં અને હજુ પણ તક મળશે તો ભણતો રહીશ અને ભવિષ્ય બનાવતો રહીશ...