દેશમાં છેલ્લા 45 દિવસથી ચાલી રહેલા લૉકડાઉનની સ્થિતિને લઈને TVS મોટર્સના ચેરમેન વેણુ શ્રીનિવાસને કહ્યું કે હવે નોકરીઓ અને આવકના સોર્સ ખતમ થઈ રહ્યા છે આ વાતને નકારી શકાય એમ નથી. તેઓએ કહ્યું કે બેરોજગારીના કાણે શ્રમિક વર્ગ પર મોટો બોજો આવ્યો છે. અન્ય તરફ HDFCના પ્રમુખ દીપક પારેખ સહિત મારુતિ સુઝુકીના ચેરમેન આરસી ભાર્ગવે કહ્યું છે કે કોરોનામાં કારોબારની પેનિક સ્થિતિથી બચવું પડશે. લોકોએ આ સ્થિતિ વચ્ચે રહીને કામ કરવાનું શીખવું પડશે.
લૉકડાઉનમાં પણ હવે શરૂ થવું જોઈએ કામકાજ
બેરોજગારોને રોજગારી મળવી જરૂરી
સોશ્યિલ ડિસ્ટન્સિંગની સાથે ઈકોનોમીને પાટા પર લાવવી જરૂરી
સારું એ રહેશે કે તેઓ સોશ્યિલ ડિસ્ટન્સની સાથે કામ કરવા લાગેઃ HDFC પ્રમુખ
મહારાષ્ટ્ર સરકારની તરફથી કોરોનાને લઈને આવેલા સૂચનો આપવા માટે કેલકર સમિતના સભ્ય અને HDFCના પ્રમુખ દીપક પારેખે કહ્યું કે હજુ સુધી કોરોનાની દવા મળી નથી. શ્રમિકોને રૂપિયાની જરૂર છે. આ માટે સારું એ રહેશે કે તેઓ સોશ્યિલ ડિસ્ટન્સની સાથે કામ કરવા લાગે. ભારતમાં કોરોનાનો મૃત્યુદર અન્ય દેશોની તુલનામાં ઘણો ઓછો છે. સાથે જ તેનાથી બહાર આવવામાં પણ મદદ મળશે.
બેરોજગારીના કારણે શ્રમિક વર્ગ પર મોટો બોજોઃ TVS મોટર્સના ચેરમેન
TVS મોટર્સના ચેરમેન વેણુ શ્રીનિવાસને કહ્યું કે હવે નોકરીઓ અને આવકના સોર્સ ખતમ થઈ રહ્યા છે આ વાતને નકારી શકાય એમ નથી. તેઓએ કહ્યું કે બેરોજગારીના કારણે શ્રમિક વર્ગ પર મોટો બોજો આવ્યો છે.આ સિવાય દુકાનદારો અને નાના ઉદ્યોગો સાથે સંકળાયેલા લોકોને આજીવિકા માટે દૂર રાખી શકાય નહીં. કોરોના સામેનું સમાધાન હવે શોધવું જ રહ્યું. કારણકે હવે આજીવિકાની સમસ્યાને છોડી શકાય તેમ નથી.
હવે કામ શરૂ થવું જોઈએઃ મારૂતિના ચેરમેન
મારૂતિ સુઝુકીના ચેરમેન આરસી ભાર્ગવે કહ્યું કે હવે કારોબાર ફરીથી શરૂ કરવો જરૂરી બન્યો છે. તેઓએ કહ્યું કે આર્થિક ગતિવિધિઓને શરૂ કરવામાં આવે અને સાથે જ લોકોને ફરીથી કામ મળી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે. સાવધાની સાથે કડકાઈનું પણ પાલન કરવામાં આવે. જેથી કામના સમયે વાયરસ ફેલાવવાથી રોકી શકાય. ઈન્ફોસીસના વડા નારાયણમૂર્તિએ પણ લૉકડાઉનથી બહાર આવવા વકાલત કરતાં કહ્યું કે જો આ રીતે કામ બંધ થયું તો કોરોનાથી વધારે લોકોનો મોત ભૂખમરાના કારણે થશે.