સ્ટેટ બેંક ઇન્ડિયા બાદ હવે પ્રાઇવેટ સેક્ટરની અન્ય બેંકોએ પણ યસ બેંકમાં રોકાણ કરવાની તૈયારી દર્શાવી છે. ICICI બેંકે શુક્રવારે જણાવ્યું કે, તેઓ યસ બેંકમાં 1000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. બેંકે શેરબજારને સૂચના આપતા જણાવતા કહ્યું, આ રોકાણથી ICICI બેંકનો યસ બેંકમાં હિસ્સો પાંચ ટકાથી વધારેનો રહેશે. તાજેતરમાં પ્રાપ્ત થયેલ જાણકારી મુજબ, HDFC બેંકે યસ બેંકમાં 6 ટકા હિસ્સો ખરીદવાની જાહેરાત કરી છે. તેના માટે બેંક એક હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે.
યસ બેંક પર સંકટ યથાવત
ખાગની બેંકોએ રોકાણ કરવાની તૈયારી દર્શાવી
SBI 7250 કરોડનું રોકાણ કરશે
આ બે બેંકો સિવાય એક્સિસ બેંક, કોટક મહિન્દ્રા બેંક, રાધાકિશન દમાની, રાકેશ ઝુનઝુનવાલા અને અઝીમ પ્રેમજી પણ 3-5% હિસ્સો ખરીદવા 500-500 કરોડનું રોકાણ કરશે. એસબીઆઇએ અગાઉ જાહેરાત કરી હતી કે તે 10 રૂપિયાના ભાવે બેંકના 725 કરોડ શેર ખરીદશે. તે આ રીતે યસ બેંકમાં 7250 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.
લિક્વિડિટી માટે 30 હજાર કરોડ
સ્ટેટ બેંકે યસ બેંકના એડમિનિસ્ટ્રેટર પ્રશાત કુમારને બેંકના નવા CEO નિયુક્ત કર્યા છે. SBIએ રિઝર્વ બેંકને સોંપેલા પોતાના પ્લાનમાં જણાવ્યું છે કે, બેંકમાં લિક્વિડિટી યથાવત રાખવા માટે પબ્લિક સેક્ટરની બેંક 30 હજાર કરોડ રૂપિયા જમા કરશે.
કેપિટલ હવે 6200 કરોડ
આજે બપોરે નાણાં પ્રધાન નિર્મલા સીતારામને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પરિષદોમાં તેમણે કહ્યું હતું કે યસ બેંકને પુનર્જીવિત કરવાનું કામ તુરંત જ છે. અગાઉ તેની મૂડી 1100 કરોડ અંદાજવામાં આવી હતી, જે હવે વધારીને 6200 કરોડ કરવામાં આવી છે.
સંકટમાં ફસાયેલી યસ બેંકને બચાવવા માટે SBIએ જે પ્લાન તૈયાર કર્યો છે તે હેઠળ 12,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. એટલું જ નહીં ભારતીય સ્ટેટ બેંકે RBIએ જે પ્રસ્તાવ મોકલ્યો છે તે પ્રાઇવેટ સેક્ટરમાં બેંકો સિવાયના કારોબારી રાધાકિશન દમાની, રાકેશ ઝુનઝુનવાલા અને અજીમ પ્રેમજી ટ્રસ્ટ દ્વારા રોકાણ કરવામાં આવ્યું છે.
RBIના પ્રશાસક નિયુક્ત કરાયા
સમગ્ર મામલા સાથે જોડાયેલા સૂત્રોનો હવાલો આપતા ઇકોનોમિક ટાઇમ્સે પોતાના અહેવાલમાં આ જાણકારી આપી છે. ભારતીય સ્ટેટ બેંકના પ્લાન અનુસાર, યસ બેંકના નવા CEO તરીકે પ્રશાંત કુમારને જવાબદારી સોંપવામાં આવશે. જેઓ હાલ RBIના પ્રશાસક નિયુક્ત કરવામાં આવ્યા છે.