જો તમે હોમ લોન લેવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. હાઉસિંગ લોન કંપની HDFC લિમિટેડે વ્યાજદરમાં 0.05 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે.
HDFC બેંકે 0.05 ટકા વ્યાજદરમાં ઘટાડો કરવાની કરી જાહેરાત
HDFCના નવા વ્યાજદર જૂના અને નવા બંને ગ્રાહકો માટે લાગુ થશે
એસબીઆઈએ પણ વ્યાજના દરમાં ઘટાડો કર્યો છે
કંપની તરફથી જારી કરાયેલા નિવેદન મુજબ, HDFCએ હાઉસિંગ લોન પર રિટેલ પ્રાઈમ લેંડિંગ રેટ (આરપીએલઆર)માં ઘટાડો કર્યો છે. ત્યારબાદ એડજસ્ટેબલ રેટ હોમ લોન (ARHL) 0.05 ટકાનો ઘટાડો કરી દીધો છે. આ સુધારેલો દર 6 જાન્યુઆરીથી લાગુ થશે. તમને જણાવી દઈએ કે, એચડીએફસી હોમ લોન પર રેટ્સને રિટેલ પ્રાઈમ લેન્ડિંગ રેટના આધારે નક્કી કરે છે. જોકે, એચડીએફસીના નવા દરો 8.20 ટકાથી નવ ટકાની રેન્જમાં હશે. આ નિર્ણય નવા અને જૂના બંને ગ્રાહકોને લાગુ પડશે.
એસબીઆઈએ પણ વ્યાજના દરમાં ઘટાડો કર્યો છે
આ અગાઉ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ હોમ અને ઓટો લોન પરના વ્યાજ દરમાં પણ ઘટાડો કર્યો છે. હવે, બેંક નવા મકાનો ખરીદનારને 7.90 ટકાના વ્યાજ પર લોન આપશે. અગાઉ વ્યાજ દર 8.15 ટકા હતો. બેંકે બાહ્ય બેંચમાર્ક આધારિત દર (EBR) 8.05 ટકાથી ઘટાડીને 7.80 ટકા કર્યો છે. આ એક બેઝ રેટ છે જે સૂચક છે કે લોન દર આનાથી ઓછો હોઈ શકતો નથી.
આ વખતે રેપો રેટમાં ઘટાડો કર્યો ન હતો
આરબીઆઈની ગત ડિસેમ્બરની નાણાકીય સમીક્ષા બેઠકમાં રેપો રેટમાં ઘટાડો કરવામાં આવ્યો ન હતો. જોકે, આ પહેલા, આરબીઆઈએ સતત 5 વખત રેપો રેટ પર કાતર ચલાવી હતી, પરંતુ બેંકોની અપેક્ષા અનુસાર, આ કપાતનો લાભ ગ્રાહકોને આપવામાં આવ્યો ન હતો. રેપો રેટના આધારે જ બેંકો દર ત્રણ મહિનામાં એક વખત તેમના બાહ્ય બેંચમાર્ક રેટમાં ફેરફાર કરવો પડે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નક્કી કરાયેલ રેપો રેટ 5.15 ટકા છે.