સોખડા હરિધામ મંદિર વિવાદમાં સાધુ સાધ્વીઓના કાયમી વસવાટને લઇને ગુજરાત હાઇકોર્ટેનો મહત્વનો ચુકાદો
સોખડા મંદિર વિવાદ મામલે હાઈકોર્ટનો ચુકાદો
સોખડા વિવાદમાં પ્રબોધ સ્વામી જૂથને ઝટકો
સંતો-સાધ્વીઓને નિર્ણયનગર અને બાકરોલમાં કાયમી વસવાટની મંજૂરી નહીં
વડોદરાના હરિધામ સોખડા મંદિર વિવાદ મામલે હાઇકોર્ટે ચુકાદો આપ્યો. સોખડા વિવાદમાં પ્રબોધ સ્વામી જૂથને ઝટકો લાગ્યો છે. સંતો અને સાધ્વીઓને નિર્ણયનગર, અને બાકરોલમાં કાયમી વસવાટની મંજૂરી આપવામાં આવી નથી. હાઇકોર્ટનું કહેવુ છે કે સંતો અને સાધ્વીઓના વ્યક્તિગત અને ખાનગી હક્કો માટે હેબિયર્સ કૉર્પસ પિટિશનએ યોગ્ય ફોરમ નથી. હાઇકોર્ટનું કહેવુ છે કે હાલના તબક્કે કાયમી વસવાટની માગણી સ્વીકારી શકાય નહીં. કોર્ટે નોધ્યું કે વચગાળાની વ્યવસ્થા પ્રમાણે તેમને અમદાવાદના નિર્ણય નગર અને આણંદ ના બાકરોલમાં રહેવાની વ્યવસ્થા કરાઇ હતી. જોકે એમને કાયમી વસવાટ આપવાની કોઈ માંગ અરજીમાં નથી. એવા સમયે જે માંગણી જ નહોતી એવી માંગણી પાછળના તબ્બકે કરીને રાહત માંગવાની કોશિશ સ્વીકારી શકાય નહિ.
સંતો-હરિભક્તોના પાસપોર્ટ કરાવ્યા હતા જમા
મહત્વનું છે કે અગાઉ આ વિવાદને લઇને હાઈકોર્ટે 180 સંતોને સાંભળ્યા હતા.. હાઈકોર્ટે સુનાવણીમાં નોંધ્યુ હતું કે, 4 મહિનામાં સંતોને ખરાબ રીતે હેરાન કરવામાં આવ્યા હતા. કોર્ટે આદેશ કર્યો હતો કે, મહિલાઓને નિર્ણયનગર સંત નિવાસ કેમ્પમાં રાખવામાં આવે તથા તમામ સંતો અને હરિભક્તોના પાસપોર્ટ સહિતના પુરાવા જમા કરવામાં આવે ઉલ્લેખનીય છે કે ગાદી પ્રાપ્ત કરવા પ્રેમસ્વરૂપ સ્વામી જૂથ દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ. જેથી જૂથ વિવાદને પગલે પ્રબોધ સ્વામી સહિતના અન્ય સંતોએ હરિધામ છોડવાનો નિર્ણય લીધો હતો.
હાઇકોર્ટે અગાઉ કર્યો હતો આ આદેશ
હરિધામ મંદિર મેનેજમેન્ટે મંદિર પરીસરમાં જાહેર નોટિસો લગાવવામા આવી હતી કે જેમાં જણાવ્યું હતું કે, જે સંતો, સાધકો, સાધ્વી બહેનો અને સેવકો અગામી દિવસોમાં હિરધામ સોખડા છોડીને અન્યત્ર જવા માગતા હોય તેઓએ નિર્ધારિત કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને જ જવુ. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા વગર હરિધામ સોખડા પરિસર છોડવાની મંજૂરી મળી શક્શે નહી. જે બાદ સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો જ્યાં ગુજરાત હાઇકોર્ટે હુકમ કર્યો હતો કે આણંદના બાકરોલ આશ્રમમાં લઇ જવા તેમજ મહિલાઓને નિર્ણય નગર સંત નિવાસ કેમ્પસમાં રાખવા આદેશ કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે આજે થયેલી સુનાવણીમાં કોર્ટે ટાંક્યું છે કે કાયમી વસવાટ રૂપે નિર્ણય નગર અને આણંદ ના બાકરોલમાં રહેવાની પરમીશન નથી ફક્ત વચગાળા માટે ઉપરોક્ત હુકમ હતો.