વર્ષ 2017-18માં રાજ્યમાં અનેક સ્થળોએ ભારે વરસાદથી ખેતીને નુકસાન થયું હતું. તેમાં પણ સુરેન્દ્રનગર જિલ્લાના અને આસપાસના વિસ્તારોમાં પાક નિષ્ફળ રહ્યો હતો. જે મામલે સરકારે સહાયની જાહેરાત કરી હોવા છતાં પાક વિમાએ વળતર ન આપતાં ખેડૂતોએ હાઈકોર્ટનો દ્વાર ખખડાવ્યો હતો. અને આ ખરે હાઈકોર્ટે પાક વિમા કંપનીઓ સામે લાલ આંખ કરી છે. હાઈકોર્ટે વીમા કંપનીઓની ઝાટકણી કાઢી છે. અને રાજ્ય સરકાર પાસે પણ માહિતી માગી છે.. સાથે જ કોર્ટે વીમા કંપનીઓને એફિડેવિટ કરવા માટે આદેશ કર્યો હતો.