ગુજરાત હાઇકોર્ટે સંભવિત ત્રીજી લહેરને લઈ એક્શન પ્લાન રજૂ કરવા રાજ્ય સરકારને કર્યા નિર્દેશ, સંભવિત ત્રીજી લહેર માટે પૂર્વઆયોજનમાં ટેસ્ટિંગ, હોસ્પિટલમાં બેડ, દવાઓ સહિતની માગી વિગતો
કોરોનાની સ્થિતિ અંગે ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો નિર્દેશ
ગુજરાત હાઇકોર્ટનો રાજ્ય સરકારને નિર્દેશ
સંભવિત ત્રીજી લહેરને લઇ એક્શન પ્લાન રજૂ કરવા નિર્દેશ
ગુજરાતમાં કોરોના ત્રીજી લહેરની સામે પૂર્વ આયોજનની સ્થિતિ અંગે ગુજરાત હાઇકોર્ટે મહત્વના નિર્દેશ કર્યા છે. ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ કર્યા છે. જેમાં સંભવિત ત્રીજી લહેરને લઇ એક્શન પ્લાન રજૂ કરવા કહેવાયું છે. અને સંભવિત ત્રીજી લહેર માટે સરકારે શું-શું પૂર્વ આયોજન કર્યું છે તેની વિગતો માગી છે. પૂર્વ આયોજનમાં ટેસ્ટિંગ, હોસ્પિટલ બેડ, દવાઓ સહિતની વિગતો માગી છે. કોરોના અંગે હાઈકોર્ટમાં 2 જુલાઇએ સુનાવણી યોજાશે. ગત સુનાવણીમાં HCએ ત્રીજી વેવને લઇ ચિંતા વ્યક્ત કરી હતી.
કોરોનાની ત્રીજી લહેરને લઈ સરકારની તૈયારી
CM રૂપાણીએ કોવિડ-19ની સંભવિત ત્રીજી લહેરને લઈ એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં ત્રીજી લહેરના આગમન પહેલા આગોતરા આયોજન કરવામાં આવ્યું છે. આરોગ્ય વ્યવસ્થા સુદૃઢ બને અને રાજ્યની હોસ્પિટલોમાં બેડ વગેરે વ્યવસ્થાઓનું રીયલ ટાઇમ મોનીર્ટીંગ થાય તેવી સંપૂર્ણ વ્યવસ્થાઓ માટે રાજ્યના વરિષ્ઠ સચિવોને જવાબદારીઓ સોંપી છે. મુખ્યમંત્રીએ 20 જેટલા વરિષ્ઠ સચિવો સાથે એક ઉચ્ચસ્તરીય બેઠક કોર કમિટીની બેઠક સાથોસાથ યોજીને આ બધી જ વ્યવસ્થાઓ આગામી 3 મહિનામાં સંપૂર્ણપણે કાર્યરત થાય તે માટેની લંબાણપૂર્વક ચર્ચા-વિચારણા અને પરામર્શ કરીને સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.
2 મહિનામાં ત્રીજી લહેર ભારતમાં એન્ટ્રી કરી શકે
જૂન મહિનામાં ભારતમાં કોરોનાની બીજી લહેરમાં થોડી રાહત મળી છે. પરંતુ આ સંપૂર્ણ ધીમી નથી પડી. આ દરમિયાન ભારતમાં કોરોનાની ત્રીજી લહેરને લઈને આશંકા વ્યક્ત કરવામાં આવી છે અને હવે એમ્સના ચીફ રણદીપ ગુલેરિયાએ નિવેદન આપ્યુ છે કે આવનાર 6થી 8 અઠવાડિયામાં એટલે કે 2 મહિનામાં ત્રીજી લહેર ભારતમાં એન્ટ્રી કરી શકે છે.
દુનિયામાં અત્યાર સુધી 40 લાખથી વધારે લોકોના જીવ ગયા
ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમણે દુનિયામાં અત્યાર સુધી 40 લાખથી વધારે લોકોના જીવ લીધા છે. જેમાં 50 ટકા ભાગીદારી ભારત, અમેરિકા, બ્રાઝિલ, રશિયા અને મેક્સિકો સામેલ છે. ત્યારે ભારતમાં ગત 24 કલાકની અંદર કોરોના વાયરસના 60 હજાર 753 નવા મામલા નોંધાયા છે. આ બાદ હવે દેશમાં એક્ટિવ મામલા ઘટીને 7 લાખ 60 હજારની પાસે પહોંચી ગયા છે.