પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી(BJP)ને જબરદસ્ત ઝટકો લાગ્યો છે. કોતકાત્તા હાઇકોર્ટએ ભાજપાની રથયાત્રાને પરવાનગી આપવી ના પાડી છે. આ મામલે આગળની સુનાવણી 9 જાન્યુઆરીના રોજ થશે. તમને જણાવી દઇએ કે આ રથયાત્રામાં ભાજપના રાષ્ટ્રપતિ અમિત શાહ સામેલ છે.
જ્યારે ભાજપના નેતા કૈલાસ વિજયવર્ગીયએ જણાવ્યું કે અમે હાઇકોર્ટને ડિવીઝન બેન્ચમાં પડકાર આપીશું. જ્યારે આ વચ્ચે પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું કે કોર્ટનો જે આદેશ હશે અમે તેનો આદર કરીશું અને બીજેપીને રથયાત્રા નિકાળવાની પરવાનગી નહીં મળે તો અમે રેલીનું આયોજન કરીશું.
તમને જણાવી દઇએ કે પશ્ચિમ બંગાળના બીજેપી અધ્યક્ષ દિલીપ ઘોષના કાફલા પર હુમલો થયો હતો. બીજેપીની રથયાત્રા હેઠળ ખલીસામારીમાં જનસભામાં ભાગ લેવા જઇ રહ્યા હતા. પાર્ટી અધ્યક્ષ પર થયેલા હુમલા બાદ કાર્યકરો કોલકાતાના રસ્તાઓ ઉપર ઉતરી આવ્યા હતા.
જ્યારે કોલકાતા હાઇકોર્ટે બીજેપીની રથયાત્રા પર રોક લગાવી દીધી છે. હવે આ કેસની આગામી સુનાવણી 9 જાન્યુઆરીએ થશે. કાર્યકર્તાઓના મતે દિલીપ ઘોષ પર તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના કાર્યકર્તાઓએ હુમલો કર્યો અને તેમને કાળા ઝંડા ફરકાવ્યા હતા. તે દરમિયાન ‘વાપસ જાવ’નો સૂત્રોચ્ચાર પણ કર્યો હતો.
કાર્યકર્તાઓનું કહેવું છે કે આ હુમલામાં ઘોષને ઇજા પહોંચી છે. બાદમાં પોલીસે એસ્કોર્ટ કરીને જનસભા સુધી પહોંચાડ્યા હતા. ઘોષ પર હુમલાના વિરોધમાં પાર્ટી કાર્યકર્તા કોલકાતાના રસ્તાઓ પર પ્રદર્શન કરી રહ્યા છે. સેન્ટ્રલ એવેન્યૂ પર કાર્યકર્તાઓએ રસ્તો બંધ કરી દીધો છે.
તેના પહેલા કૂચબિહારને માથાભાંગા અને દિનહાટાને જોડનારા હાઇવે પર બીજેપી અધ્યક્ષ અમિત શાહની તસ્વીર વાળી એક ફ્લેક્સ બોર્ડ પણ ફાટેલું મળી આવ્યું હતું. તેનો પણ આરોપ બીજેપીએ ટીએમસી કાર્યકર્તાઓ પર લગાવ્યો હતો.