દિલ્હીઃ હાઈકોર્ટે સીબીઆઈનાં વિશેષ નિર્દેશક રાકેશ અસ્થાનાને ઝટકો આપ્યો છે. હાઈકોર્ટે અસ્થાના સામે તપાસ ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે. અસ્થાના સામે પૂર્વ સીબીઆઈ ચીફ આલોક વર્માએ ભ્રષ્ટાચાર મામલે તપાસનાં આદેશ આપ્યાં હતાં. જે હાઈકોર્ટે તપાસ ચાલુ રાખવાનાં આદેશ આપ્યાં છે. હાઈકોર્ટે અસ્થાના અને દેવેન્દ્રકુમાર સામે કરાયેલી ફરિયાદને રદ કરવાની અરજીને ફગાવી દીધી છે.
કોર્ટે સીબીઆઈનાં અસ્થાના અને દેવેન્દ્રકુમાર સામે 10 અઠવાડિયામાં તપાસ પુરી કરવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટનાં મતે તપાસમાં જો કોઈ તથ્યો સામે નહીં આવે તો જ તેઓ નિર્દોષ સાબિત થશે ત્યાં સુધી તેઓ આરોપી જ છે. અસ્થાના અને આલોક વર્મા સામ સામે આવી જતાં દેશભરમાં વિવાદ સર્જાયો હતો. જો કે વર્માએ રાજીનામું આપ્યું છે. પરંતુ હાઈકોર્ટનાં આ આદેશથી અસ્થાનાની મુશ્કેલી વધી શકે છે.
રાકેશ અસ્થાના અને દેવેન્દ્રકુમાર પર આરોપ છે કે તેઓએ હૈદરાબાદનાં વેપારી સતીશ બાબુ સનાને રાહત આપવા માટે લાંચ લીધી હતી. આ મામલા પર બંને વિરૂદ્ધ સીબીઆઇએ એફઆઇઆર દાખલ કરી કરી હતી. એટલે સુધી કે ડીએસપી દેવેન્દ્રકુમારને આ મામલામાં સીબીઆઇએ ધરપકડ કરી હતી. બાદમાં નીચલી કોર્ટે ડીએસપી દેવેન્દ્રકુમારને જામીન મળી ગઇ હતી.
રાકેશ અસ્થાના અને દેવેન્દ્રકુમારે પોતાની ઉપર દાખલ એફઆઇઆરને રદ્દ કરવા માટે હાઇકોર્ટને અરજી કરી હતી. આને લઇને અરજી પણ દાખલ કરાઇ હતી. ગઇ 20 ડિસેમ્બરનાં રોજ હાઇકોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.