ગર્ભપાત મામલેની અરજી પર સુનાવણી દરમિયાન હાઈકોર્ટની ટકોર સામે આવી છે કે, પીડિતા અને ગર્ભમાં રહેલુ બાળક સુરક્ષિત હોય તો ગર્ભપાતની મંજૂરી આપવી ન્યાયિત નહીં ગણાય
ગર્ભપાતની અરજીમાં સુનાવણી દરમિયાન HCએ કર્યો મનુસ્મૃતિનો ઉલ્લેખ
બાળકીની તબીબી અને મનોચિકિત્સક તપાસ કરી રિપોર્ટ રજૂ કરવા આદેશ
મેડિકલ રિપોર્ટના આધારે કોર્ટ ગર્ભપાત અંગે લેશે નિર્ણય
મોરબીની 16 વર્ષીય સગીરા પર દુષ્કર્મની ઘટના ઘટી હતી, ત્યારબાદ તે સગીરાને ગર્ભ રહી ગયો હતો જે મામલે ગર્ભપાતની મંજૂરી માટે હોઈકોર્ટમાં અરજી કરી હતી. દુષ્કર્મ પીડિતાની ગર્ભપાત માટેની અરજીમાં આજે સુનાવણી હાથ ધરાઈ હતી જે દરમિયાન હાઇકોર્ટે મનુસ્મૃતિનો ઉલ્લેખ કર્યો છે.
હાઈકોર્ટની ટકોર
ગર્ભપાત મામલેની અરજી પર સુનાવણી દરમિયાન હાઈકોર્ટની ટકોર સામે આવી છે કે, પીડિતા અને ગર્ભમાં રહેલુ બાળક સુરક્ષિત હોય તો ગર્ભપાતની મંજૂરી આપવી ન્યાયિત નહીં ગણાય. ભૂતકાળમાં 14-15 વર્ષની દીકરીઓએ લગ્ન કરી 17 વર્ષ પહેલા જ બાળકને જન્મ આપતી હતી, આપણા સમાજમાં તરુણા અવસ્થામાં છોકરાઓ કરતા છોકરીઓ જલ્દી પરિપક્વ થાય છે, તેવુ મનુસ્મૃતિમાં લખેલુ છે તેમ હાઈકોર્ટે જણાવ્યું છે.
વધુ સુનાવણી 15 જૂનના રોજ હાથ ધરાશે
રાજકોટ સિવિલમાં બાળકીની તબીબી અને મનોચિકિત્સક દ્વારા તપાસ કરી રિપોર્ટ રજૂ કરવા હાઈકોર્ટે આદેશ કર્યો છે તેમજ મેડિકલ રિપોર્ટના આધારે કોર્ટ ગર્ભપાત અંગે નિર્ણય લેશે અને જે સમગ્ર મામલે વધુ સુનાવણી 15 જૂનના રોજ હાથ ધરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબીની દુષ્કર્મ પીડિતાએ 16 વર્ષીય સગીરાએ ગર્ભપાતની મંજૂરી માટે અરજી કરી છે.