જામજોધપુરમાં 29 વર્ષ જૂના કસ્ટોડિયલ ડેથ મામલે કોર્ટે પૂર્વ IPS સંજીવ ભટ્ટને આજીવન કેદની સજા ફટકારી હતી જેમાં આજે સંજીવ ભટ્ટ અને પ્રવીણસિંહે જામીન માંગ્યા હતા જેને કોર્ટે નામંજૂર કર્યા છે.
1990 આરોપીને બેરહેમીથી માર મારતા આરોપી મૃત્યુ પામ્યો હતો
જામનગર સેસન્સ કોર્ટે આપી છે 10 વર્ષની સજા
સંજીવ ભટ્ટ અને પ્રવીણસિંહને 10 વર્ષની સજા ફટકારી હતી
સુપ્રીમના આદેશ અનુસાર જામનગર સેશન્સે આપ્યો હતો ચુકાદો
વર્ષો સુધી જુદી જુદી કોર્ટમાં ચાલેલા કેસમાં તમામ દલીલો પૂર્ણ થઈ હતી. સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ આજે ચુકાદો આપવામાં આવ્યો હતો. જેમાં સંજીવ ભટ્ટ સહિતના આરોપીઓ 20 જૂન 2019 કોર્ટમાં રજૂ થયા હતા.
આજીવન કેદની સજા ફટકારી હતી
જામનગર સેશન્સ કોર્ટના ન્યાયાધીશ ડી.એમ.વ્યાસે ચુકાદો સુણાવ્યો હતો. ચુકાદામાં પૂર્વ IPS સંજીવ ભટ્ટ અને કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ઝાલાને આજીવન કેદની સજા ફટકારી છે. સંજીવ ભટ્ટ અને કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ઝાલાને હત્યા ગુનામાં દોષિત જાહેર કરવામાં આવ્યા છે. તેમને 10 વર્ષની સજા થઈ હતી.
શું હતી ઘટના?
અયોધ્યા મંદિરના મુદ્દે બે દાયકા અગાઉ ભાજપના નેતા એલ.કે.અડવાણીએ કાઢેલી રથયાત્રા અટકાવવાના પગલે વિરોધનો વંટોળ ફેલાયો હતો. જેના બાદ જામજોધપુર ખાતે 1990માં તોફાનો ફાટી નીકળ્યા હતા. સંજીવ ભટ્ટ આ દરમિયાન જામનગરમાં એડિશનલ સુપ્રિટેન્ડન્ટ હતા. ત્યારે 30 ઓક્ટોબર 1990ના રોજ આ તોફાનોમાં પોલીસે પ્રભુદાસ વૈષ્ણાની સહિત 134 આરોપીઓની ધરપકડ કરી હતી.
પ્રભુદાસ વૈષ્ણાનીના મોત માટે થઈ છે સજા
જેમાં વૈષ્ણવીની ખેંચ આવતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનુ મોત નિપજ્યું હતું. તેને જામીન પર મુક્ત કર્યાના 10 દિવસ બાદ વૈષ્ણાનીનું મોત થયું હતું. ત્યારે પોલીસ દ્વારા અત્યાચાર કરાયા બાદ તેનુ મોત થયુ હતુ તેવુ તેના પરિવારે આરોપ મૂક્યો હતો. આ કેસમાં સંજીવ ભટ્ટ અને અન્ય પોલીસ કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાઇ હતી અને આ ફરિયાદની કાર્યવાહીમાં કાનૂની લાંબી લડત સુપ્રીમ કોર્ટ સુધી થઇ હતી.