ખોખરાના સ્લમ ક્વાર્ટર થઈ રહેલા રી ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ અંગે સ્થાનિકો દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. કોર્ટે કહ્યું કહ્યું કે, જનહિતનાં કામ પર રોક ના લગાવી શકાય
ખોખરા સ્લમ ક્વાટર્સ પુન:નિર્માણ માટે કોર્ટનું અવલોકન
જનહિતના નિર્માણ કાર્યને ના અટકાવી શકાય;કોર્ટ
46 વર્ષ જુના સ્લમ ક્વાટર્સ મુદ્દે કોર્ટે કર્યું અવલોકન
અમદાવાદના ખોખરા વિસ્તારની સોસાયટીના ડેવલોપમેન્ટ પ્રોજેક્ટને લઈને ગુજરાત હાઇકોર્ટ મહત્વનું અવલોકન કરતા કહ્યું કે, જનહિતમાં આ પુન:નિર્માણ યોગ્ય છે અને મહાનગર પાલિકા આ કામ જારી રાખે. ખોખરાના સ્લમ ક્વાર્ટર થઈ રહેલા રી ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ અંગે સ્થાનિકો દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.જેનો નિકાલ આ રીતે કરાયો હતો.
સ્લમ ક્વાટર્સ 46 વર્ષ જૂના
અમદાવાદના ખોખરા વિસ્તારમાં લગભગ 1964માં નિર્માણ પામેલા સ્લમ ક્વાટર્સના પુનઃનિર્માણ મુદ્દે કોર્ટે અવલોકન કરતા કહ્યું કે, જનહિતમાં થતા કાર્ય માટે કોઈ પણ પ્રકારની રોક નાં લગાવી શકાય. મહાનગર પાલિકાએ બિલકુલ જર્જર અવસ્થામાં રહેલા સ્લમ ક્વાટરના ફરીથી નિર્માણ માટે કાર્યવાહી હાથ ધરતા સ્થાનીકોએ આ નિર્માણ કાર્ય અટકી જાય અને સ્ટે આપવામાં આવે તે સબબની માગણી કરતી અરજી કરી હતી.
જનહિતના કાર્ય પર રોક ના લગાવી શકાય ;કોર્ટ
કોર્ટે સ્થાનિકોની આ અરજીને ફગાવી દેતા કહ્યું કે, જનહિત માટે થતા કાર્ય પર રોક ન લગાવી શકાય. શક્યત; પહેલી જ વાર અમદાવાદમાં મહાનગર પાલિકાના કોઈ વિસ્તારના પુન;નિર્માણ માટે સ્થાનિકો તરફથી આ પ્રકારની અરજી કરી હતી.