ઝારખંડના હઝારીબાગમાં ભીષણ રોડ અકસ્માત થયો છે. આ દુર્ઘટનામાં 6 લોકોના મોત થયા છે.
ઝારખંડમાં મોટી દુર્ઘટના થઈ
હઝારીબાગમાં પેસેન્જર ભરેલી બસ નદીમાં ખાબકી
6 લોકોના મોત, 40 જણાં ઘાયલ
ઝારખંડના હઝારીબાગમાં ભીષણ રોડ અકસ્માત થયો છે. આ દુર્ઘટનામાં 6 લોકોના મોત થયા છે. આ દુર્ઘટના ટાટીઝરિયાના સિવાને પુલ નજીક બની છે. પ્રાથમિક વિગતો અનુસાર જોઈએ તો, પેસેન્જર ભરેલી બસ નદીમાં જઈ પડી હતી. જેમાં 6 લોકોના મોત થયા છે. આ બસ ગિરિડીહથી રાંચિ જઈ રહી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર ગિરિડીહથી હઝારીબાગ જતી શિવ શક્તિ એસી બસ દુર્ઘટનાગ્રસ્ત થઈ છે. ગિરિડીહના પારસનાથથી અમુક લોકો સવાર થઈને હઝારીબાગ તરફ જઈ રહ્યા હતા. આ દુર્ઘટના રસ્તામાં બસ સિવાને નદીમાં જઈ પડી હતી. આ દુર્ઘટનામાં 6 લોકોના મોત થયા છે. જ્યારે 2થી 3 લોકો હજૂ પણ બસમાં ફસાયેલા છે. બાકીના લોકોને શિવમ બસ અને એમ્બ્યુલન્સથી હઝારીબાગ લઈ જવામાં આવ્યા છે. આ બસ દુર્ઘટનામાં 40 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે.
આ દુર્ઘટનામાં ઢગલાબંધ લોકો ઘાયલ થયા છે. જેમાં કેટલાયની સ્થિતિ ગંભીર હોવાનું કહેવાય છે. તમામ ઘાયલોને શેખ બિહારી હોસ્પિટલ હઝારીબાગ રેફર કરવામાં આવ્યા છે. રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ફસાયેલા લોકોને ગેસ કટર મશીનથી બસને કાપીને બહાર કાઢવામાં આવી રહ્યા છે. મરનારા લોકોમાં બે મહિલા પણ સામેલ છે. હઝારીબાગથી દારુ પોલિસ સ્ટેશન હદ વિસ્તારની આ ઘટના છે.