WhatsApp એ 15 મેથી 15 જુન વચ્ચે લગભગ 20 લાખ ભારતીયોના એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. વોટ્સએપ પર ખરાબ આચરણને કારણે આ એકાઉન્ટ બંધ કરાયા હતા.
નવા આઈટી નિયમો બાદ WhatsApp ની મોટી કાર્યવાહી
15 મેથી 15 જુન વચ્ચે 20 લાખ ભારતીયોના એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો
ગાળાગાળી, અપશબ્દો બોલવા, દુરપયોગ, ખરાબ વાણીવિલાસને કારણે ભર્યું પગલું
નવા આઈટી નિયમો અમલી બન્યા બાદ લોકપ્રિય મેસેજિંગ એપ WhatsApp એ એક મહત્વનો ખુલાસો કર્યો છે. ગાળાગાળી, અપશબ્દો કહેવા, દુરપયોગ, ખરાબ આચરણ, અયોગ્ય વાણિવિલાસ તથા બીજા પ્રકારની ફરિયાદ આવ્યાં બાદ WhatsApp એ 1 મહિનામાં 20 લાખ ભારતીયોને એકાઉન્ટ્સ બંધ કરી દીધા હતા.
WhatsApp એ તેના માસિક કમ્પ્લાયન્સ રિપોર્ટમાં ગુરુવારે આ ખુલાસો કર્યો
WhatsApp એ તેના માસિક કમ્પ્લાયન્સ રિપોર્ટમાં ગુરુવારે આ ખુલાસો કર્યો છે. WhatsApp એ જણાવ્યું કે દેશના નવા આઈટી કાયદાને અનુરુપ આ કામ કરાયું છે. WhatsApp એ જણાવ્યું કે અમે નુકશાનકારક વર્તણૂંકને અટકાવા માટે ટૂલ્સ અને રિસોર્સનો ઉપયોગ કરીએ છીએ ખાસ કરીને અટકાવ પર અમારુ ધ્યાન છે કારણ કે અમારુ માનવું છે કે નુકશાન થવાની રાહ જોવાને બદલે પહેલા જ નુકશાનકારક ગતિવિધિઓને ઉગતા ડામી દેવી ઘણી સારી વાત છે.
ખરાબ આચરણ અને નુકશાનકારક ગતિવિધિ કોઈ યુઝરની જીવનશૈલીના ત્રણ તબક્કે થતી હોય છે પહેલા તબક્કામાં રજિસ્ટ્રેશન સ્તરે, મેસેજિંગ દરમિયાન, તથા નેગેવિટી ફેડબીકના સંદર્ભમાં આ કામ થતું હોય છે.ઓટોમેટેડ કે બલ્ક મેસેજિંગના બિનઅધિકૃત ઉપયોગને કારણે 95 ટકા કરતા પણ વધારે પ્રતિબંધ મૂકાયો છે. ડેટા કલેક્શન અને વેલિડેશન માટે પૂરતો સમય આપવા રિપોર્ટિંગ સમયગાળા બાદ 30-45 દિવસમાં અમે ત્યાર પછીની ફરિયાદ રિપોર્ટ રજૂ કરી દઈશું.
સમગ્ર વિશ્વમાં લગભગ 8 મિલિયન જેટલા એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે
કંપનીએ જણાવ્યું કે જેમ જેમ અમારી સિસ્ટમ અદ્યતન બનતી જાય છે તેમ તેમ 2019 પછી પ્રતિબંધિત એકાઉન્ટ્સની સંખ્યામાં મોટો વધારો થયો છે. કોઈ યુઝરના રિપોર્ટ પર આધાર રાખવાને બદલે અત્યંત સક્રિયતાથી મોટા ભાગના એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકાયો છે. કંપનીએ કહ્યું કે દર મહિને સમગ્ર વિશ્વમાં લગભગ 8 મિલિયન જેટલા એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે.