મધ્યપ્રદેશમાં 15 મે સુધી લોકડાઉન લંબાવી દેવામાં આવ્યું છે. સીએમ શિવરાજસિંહ ચોહાણે કહ્યું કે બધું બંધ કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી.
મધ્યપ્રદેશમાં 15 મે સુધી લોકડાઉન
બધુ બંધ કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી-સીએમ ચોહાણ
સીએમ લોકોને લગ્નો ટાળવાની કરી અપીલ
વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમ દ્વારા રિવ્યુ મીટિંગ કરતા ચોહાણે કહ્યું કે કર્ફ્યુના નિયમોનું કડકાઈથી પાલન કરવાની જરુર છે. અન્યથા પરિસ્થિતિ વધારે ગંભીર બનશે.
તેમણે ચેતવણી આપી કે કોવિડ-19 ના પ્રોટોકોલમાં થોડી પણ છૂટછાટ ભારે પડશે. મુખ્યમંત્રીએ લોકોને હાલ પુરતા લગ્નો ટાળી દેવાની પણ સલાહ આપી હતી.મુ્ખ્યમંત્રીએ ગામડાઓમાં કોવિડ મેનેજમેન્ટની ટીમોની રચના કરવાની પણ જાહેરાત કરી છે.
દેશમાં 24 કલાકમાં 3 હજાર 838 લોકોના મોત થયા
દેશમાં કોરોનાની બીજી લહેર રોકાવાનું નામ નથી લઈ રહી. 24 કલાકમાં 4 લાખ 6 હજાર 383 નવા દર્દી આવ્યા. આવું બીજી વાર છે જ્યારે 24 કલાકમાં 4 લાખથી વધારે નવા દર્દી મળ્યા. આ પહેલા 30 એપ્રિલે 4 લાખ 2 હજાર 14 મામલા સામે આવ્યા હતા. ત્યારે 3525 લોકોના મોત થયા હતા. આજે સાજા થનારાની સંખ્યાની સંખ્યા મંગળવારની સરખામણીએ ઓછી છે. મંગળવારે 3.37 લાખ સાજા થયા હતા. આજે 3.24 લાખ દર્દી સાજા થયા છે. ગત 24 કલાકમાં 3 હજાર 838 લોકોના મોત થયા છે.
મહારાષ્ટ્ર બાદ હવે કર્ણાટક અને કેરળમાં સ્થિતિ ચિંતાજનક
રોજ આવનારા દર્દીની સંખ્યાના મામલામાં હવે મહારાષ્ટ્ર બાદ કર્ણાટકા અને કેરળ ડરાવી રહ્યા છે. કર્ણાટકમાં બુધવારે રેકોર્ડ બ્રેક 50 હજારથી વધારે કેસ આવ્યા જ્યારે કેરળમાં 41, 953 લોકો પોઝિટિવ થયા છે.