જો તમે પણ કોઈ ખાસ કારણ વિના ઘણી બેંકોમાં ખાતું ખોલાવી રાખ્યું છે તો, તમે ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની રડારમાં આવી શકો છો. જો તમે કોઈ ખાતું યુઝ નથી કરી રહ્યાં તો તેને બંધ કરાવી દો. ચાલો જાણીએ કેમ ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ આવા ખાતાઓની શોધ કરી રહ્યું છે.
બેંકના ખાતાધારકો ચેતજો
એકથી વધુ ખાતા હોય તો કરી લો આ કામ
તમે ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની રડારમાં આવી શકો છો
આયકર વિભાગ માને છે, ઘણાં લોકો કાળા ધનને સફેદ બનાવવા માટે એકથી વધુ ખાતા ખોલાવી રાખે છે. ભારતમાં હજી સુધી એવો કોઈ કાયદો નથી બન્યો જે કોઈ નાગરિકને એકથી વધુ બેંકમાં ખાતા ખોલવાથી રોકી શકે. પણ આયકર વિભાગ અલગ રીતે વિચારે છે. તેને લાગે છે કે, જ્યારે અનેક બેંકોમાં અલગ અલગ ખાતા હોય તો તે ડમી ખાતા હોઇ શકે છે. આ ખાતા કોઇ શેલ કે ફ્રોડ કંપનીથી તો જોડાયેલું નથી ને અને તેને કાળા ધનને સફેદ કરવામાં મદદ નથી મળી રહી, આ બધાં નજર રાખે છે.
બેંક આયકર વિભાગને આપે છે જાણકારી
નાણાં મંત્રાલયના અધિકારીઓ જણાવે છે કે હવે બેંકો નિયમિત રીતે આવી સૂચના આયકર વિભાગને આપે છે. ખાસ કરીને જે વ્યક્તિ મોટી રકમ ઉપાડે કે જમા કરાવે છે તો બેંક તરત આયકર વિભાગ જણાવે છે. એટલું જ નહીં એક જ પાન નંબર પર કેટલા ખાતા છે તેની જાણકારી પણ હવે એક ક્લિકથી મળે છે.
એક વ્યક્તિ અલગ-અલગ શહેરમાં ખાતું ખોલાવો તો શંકાના ઘેરામાં આવે છે
જો કોઇ વ્યક્તિ અલગ અલગ શહેરોમાં અનેક બેંક ખાતા ખોલાવે છે તો પણ તે શંકાના ઘેરામાં આવે છે. પહેલાં તો સેન્ટ્રલાઇઝ બેકિંગ સિસ્ટમ નહોતી ત્યારે આ સમસ્યા રહેતી હતી. પણ હવે આવું થતા તમે શંકાના ઘેરામાં આવી શકો છો.
આયકર વિભાગએ જણાવ્યું કે, આ પ્રકારના કેસ સામે આવતા રહે છે. થોડાં સમય પહેલાં ગાઝિયાબાદના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. તેણે વ્યક્તિગત બેંક અને એક સરકારી બેંકમાં 80થી વધુ ખાતા ખોલી રાખ્યા હતા. જેમાં તે 380 કરોડ રૂપિયાના કાળા ધનને સફેદ કરી રહ્યો હતો. વધુમાં દિલ્હીના એક વ્યક્તિના પણ 20થી વધુ ખાતા હતા. તેણે નોટબંધી વખતે પોતાના ખાતામાં લાખો રૂપિયા જમા કરાવ્યા હતા.