18 તારીખે એટલે કે કાલે મહાશિવરાત્રિ છે. આ દિવસે ઉપવાસ કરવાનું ખૂબ જ મહત્વ છે. આ સ્વાસ્થ્યને ઘણા લાભ પહોંચાડે છે પરંતુ આ વ્રત ડાયાબિટીસના પેશન્ટ્સ માટે મુશ્કેલી લાગી શકે છે.
કાલે છે મહાશિવરાત્રિ
ડાયાબિટીસના દર્દી આ રીતે કરો વ્રત
તો નહીં થાય શરીરમાં કોઈ પણ સમસ્યા
હિંદુઓના સૌથી પ્રમુખ તહેવારોમાંથી એક મહાશિવરાત્રિ 18 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે. આ દિવસે ભગવાન શિવના ભક્ત તેમના માટે ઉપવાસ કરે છે. આ દિવસના ઉપવાસનું ખૂબ મોટુ મહત્વ છે. આ દિવસ ખૂબ જ શુભ અને ભાગ્યશાળી માનવામાં આવે છે.
તેને લઈને અત્યારથી જ તૈયારીઓ શરૂ થઈ ચુકી છે. જે લોકો ડાયાબિટીસની સમસ્યાથી પસાર થઈ રહ્યા છે તેના માટે આ ઉપવાસ થોડો મુશ્કેલ બની શકે છે અને આ વ્રત રાખતી વખતે ઘણી વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
ડાયાબિટીસના દર્દીઓને વ્રત વખતે થઈ શકે છે આ મુશ્કેલીઓ
વ્રતમાં લાંબા સમય સુધી કંઈક ન ખાવાના કારણે બ્લડ શુગર અનકંટ્રોલ થઈ શકે છે. ડાયાબિટીસના દર્દી જો વધારે સમય સુધી વગર ભોજને રહે તો શુગર લેવલ ઓછુ થઈ જાય છે જેને હાઈપોગ્લાઈસીમિયા કહે છે. આ સ્થિતિમાં દર્દીઓના હાથ અને પગ ધ્રુજવા લાગે છે કમજોરી લાગે છે હાર્ટ બીટ વધી જાય છે.
ત્યાં જ જો દર્દી વ્રતમાં ફળ ખાઈ લે તો ફ્રૂક્ટોઝની માત્રા વધવાનો ખતરો રહે છે તેનાથી વધારે ખરાબ અસર પડે છે જોકે અમુક વસ્તુઓને ધ્યાનમાં રાખીને ડાયાબિટીસના દર્દીઓ માટે આ ઉપવાસ કરવો જરૂરી બની શકે છે. આવો જાણીએ આ વિશે એક્સપર્ટ્સ શું આપે છે સલાહ.
વ્રતમાં એક્સપર્ટની સલાહ જરૂર લો
સૌથી પહેલા નિષ્ણાંત ડાયાબિટીના દર્દીઓને વ્રત રાખવાની સલાહ નથી આપતા પરંતુ જે કોઈની આસ્થા છે અને કોઈ ખૂબ દિલથી આ વ્રત રાખવા માંગે છે તો અમુક સાવધાનીઓ રાખવી જરૂરી છે.
ડાયાબિટીસના દર્દી વ્રત વખતે ફક્ત એવી વસ્તુઓનું સેવન કરે જેનું ગ્લાઈસેમિક ઈન્ડેક્સ ઓછુ હોય છે અને જે વસ્તુઓ ડાઈજેસ્ટ થવામાં સમય લે છે.
ડાયાબિટીસના દર્દી વ્રત વખતે ભરપૂર પ્રમાણમાં પાણી જરૂર પીવો તેનાથી શરીર હાઈડ્રેટ રહે છે અને સ્વાસ્થ્ય પણ સારૂ રહે છે.
આવા લોકોને નારિયેળ પાણી પીવું જોઈએ તે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ અમીનો એસિડ વિટામિન્સ કેલ્શિયમ આયર્ન અને ઘણા ન્યૂટ્રિએન્ટ્સ શામેલ છે. જે એનર્જી લેવલને મેઈન્ટેઈન રાખે છે.
બજારમાં મળતા કોઈ નમકીન ચિપ્સનું સેવન ન કરો કારણ કે તેમાં મિઠા અને શુગરનું પ્રમાણ વધારે હોય છે જે તમને નુકસાન પહોંચાડી શકે છે.
લાંબા સમય સુધી ઉપવાસ વખતે ભૂખ્યા ન રહો થોડી થોડી વારે કંઈક હેલ્ધી ખાતા રહો જેનાથી શરીરમાં બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે.
વ્રતમાં ચા અને કોફી પીવાના કારણે લીંબુ પાણી લસ્સી અને છાસનું સેવન કરો.
ઘણી વખત વ્રત વખતે લોકો પોતાની દવાઓ પણ નથી લેતા આવી ભૂલો ન કરો. તમે દવાઓ ઈંસુલિન ડોધને ભૂલથી પણ મિસન કરો.
ડાયાબિટીસ પીડિત લોકોને ઉપવાસ પહેલા કોપલેક્સ કાર્બોહાઈડ્રેટ્સ વાળા ખાદ્ય પદાર્થનું સેવન કરવું જોઈએ. તેનું કાર્બ્સને તોડવા અને પચાવવામાં વધારે સમય લાગે છે. જેના કારણે વ્યક્તિ જલ્દી ભૂખ મહેસુસ નથી કરી શકતું. વ્રત શરૂ કર્યા પહેલા તમે સુકા મેવા અને ફળોનું સેવન કરો જેનાથી શુગર ઓછુ ન થાય.
વ્રત વખતે ડાયાબિટીસના દર્દીઓ બ્લડ શુગર લેવલ 70થી ઓછુ હોય તો વ્રત તોડી જ નાખવું જોઈએ.
Disclaimer
આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.