પહેલીવાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) વર્લ્ડ કપમાં તમામ 10 ટીમો સાથે ભ્રષ્ટાચાર વિરોધી અધિકારી રહેશે. જેથી વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાં કોઇ વિવાદ ન સર્જાય. ડેલી ટેલિગ્રાફની એક રિપોર્ટમાં જણાવાયું છે કે ICC દરેક ટીમ સાથે એક ભ્રષ્ટાચાર વિરોધી અધિકારી રાખશે જે અભ્યાસ મેચથી લઇને ટૂર્નામેન્ટના અંત સુધી સાથે રહેશે.
પહેલી વાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) વર્લ્ડ કપમાં તમામ 10 ટીમો સાથે ભ્રષ્ટાચાર વિરોધી અધિકારી રહેશે. જેથી વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાં કોઇ વિવાદ ન સર્જાય. ડેલી ટેલિગ્રાફની એક રિપોર્ટમાં જણાવાયું છે કે ICC દરેક ટીમ સાથે એક ભ્રષ્ટાચાર વિરોધી અધિકારી રાખશે જે અભ્યાસ મેચથી લઇને ટૂર્નામેન્ટના અંત સુધી સાથે રહેશે.
આ રિપોર્ટ અનુસાર, આ પહેલા આઇસીસીની ભ્રષ્ટાચાર વિરોધી સમિતિના અધિકારી તમામ વેન્યૂ પર તૈનાત રહેતા હતા. આ કારણે ટીમોએ ટૂર્નામેન્ટમાં કેટલાય અધિકારીઓનો સંપર્ક કરવો પડતો હતો. હવે એક જ અધિકારી દરેક ટીમ સાથે અભ્યાસ મેચથી લઇને ટૂર્નામેન્ટના અંત સુધી રહેશે. ઉપરાંત અધિકારી એ જ હોટલોમાં રહેશે જેમાં ટીમ રોકાશે. તથા ટીમ સાથે અભ્યાસ અને મેચમાં પણ સાથે રહેશે. તેને વિશ્વકપમાં ફિક્સિંગ અને ભ્રષ્ટાચારથી મુક્ત રાખવાની આઇસીસીની કવાયતનો એક ભાગ માનવામાં આવે છે.
નોંધનીય છે કે ICC ક્રિકેટને સ્વચ્છ રાખવા માટે સક્રિય છે. આઇસીસીએ શનિવારે શ્રીલંકાના પરફોર્મન્સ વિશ્લેષક સનત જયસુંદારાએ આઇસીસી ભ્રષ્ટાચાર વિરોધી કલમના ઉલ્લંઘનના બે અપરાધ માટે આરોપ દાખલ કર્યું હતું. જયસુંદારાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.