Sakshi Murder Case News: શાહબાદ ડેરી વિસ્તારમાં જાહેર ગલીમાં બનેલી ઘટનામાં કોઈએ આરોપી સાહિલને રોકવાની હિંમત ન કરી, મદદ માટે બૂમો પાડી રહેલી સાક્ષીને બચાવવા માટે એક પણ વ્યક્તિ આગળ ન આવ્યો
શાહબાદ ડેરી વિસ્તારમાં કોઇકે હિંમત કરી હોત તો સાક્ષી બચી જાત
લોકો તમાશો જોતાં રહ્યા-બારીઓ બંધ કરી લીધી
રવિવારે રાત્રે દિલ્હીના શાહબાદ ડેરી વિસ્તારમાં 16 વર્ષની સાક્ષીની તેના બોયફ્રેન્ડ સાહિલે ચાકુ મારીને હત્યા કરી હતી. આરોપીએ છોકરી પર છરી વડે 16 વાર કર્યા અને જ્યારે તેનાથી પણ તેને સંતોષ ન થયો તો તેણે તેને રસ્તા પર પડેલા પથ્થરથી માર્યો. લોહીલુહાણ થઈ ગયેલી સાક્ષી રડતી રડતી રોડ પર પડી હતી અને આરોપી તેને લાતો મારી રહ્યો હતો.
નવાઈની વાત એ છે કે, જે સમયે આરોપી આ હૃદયદ્રાવક ઘટનાને અંજામ આપી રહ્યો હતો. તે સમયે આસપાસ ઘણા લોકો હાજર હતા, ઘણા ઘરો હતા. આ ઘટના કોઈ નિર્જન વિસ્તારમાં નહિ પરંતુ જાહેર ગલીમાં બની હતી, પરંતુ તેમ છતાં કોઈએ આરોપી સાહિલને રોકવાની હિંમત કરી ન હતી. મદદ માટે બૂમો પાડી રહેલી સાક્ષીને બચાવવા માટે એક પણ વ્યક્તિ આગળ ન આવ્યો એટલો ડર કેમ હતો?
દિલ્હીમાં જે ઘટના બની તેનાથી લોકોની માનસિકતા પર ફરી એકવાર સવાલો ઉભા થયા છે. જ્યાં આ ઘટના બની ત્યાં ઘણા ઘરો હતા, ઘણા લોકો રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા, પરંતુ કોઈ કશું બોલ્યું નહીં. ઘટના જોઈને બધા ચૂપચાપ ત્યાંથી ચાલ્યા ગયા. ઘટનાસ્થળે લાગેલા સીસીટીવીમાં ઘટના અને લોકોની પ્રતિક્રિયા બંને કેદ થઈ ગયા હતા.
શું છે વાયરલ વિડીયોમાં ?
સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, સાહિલ સાક્ષી પર બેરહેમીપૂર્વક છરી વડે હુમલો કરી રહ્યો છે, લાતો મારી રહ્યો છે અને તેને પથ્થરથી મારી રહ્યો છે, પરંતુ ત્યાંથી પસાર થતા લોકોએ દરમિયાનગીરી કરી ન હતી. ચીસોનો અવાજ સાંભળીને લોકો ચોક્કસપણે તેમના ઘરની બહાર આવી ગયા પરંતુ કોઈ કશું બોલ્યું નહીં. દરેક વ્યક્તિએ શેરીમાં રમતા બાળકોને લઈને અંદર ખેંચી લીધા અને દરવાજા અને બારીઓ બંધ કરી દીધી.
श्रद्धा साक्षी और ना जाने कितनी लड़कियाँ रोज़ लव जिहाद और नफ़रत का शिकार हो रही है,
अगर अपनी बहन या बेटी पर ऐसा वहशी हमला होता तो भी क्या ये लोग ऐसे ही चलते चले जाते. जानवर सिर्फ़ वो नहीं, सब हैं.!!
ऐसे लोगो का सीधे encounter होना चाहिये..!! #HeWillSuffer#DelhiMurderpic.twitter.com/UuzvCkobec
લોકોની વચ્ચે સાક્ષીની હત્યા
રવિવારે રાત્રે લગભગ 8 વાગ્યાની આસપાસ 20 વર્ષીય સાહિલે 16 વર્ષની સાક્ષીની સાંકડી ગલીમાં ઓછામાં ઓછા 16 વાર છરીના ઘા મારીને હત્યા કરી હતી. શેરી રોશનીથી ઝગમગી રહી હતી, કેટલાક લોકો ઘરની બહાર હતા, કેટલાક લોકો શેરીમાંથી પસાર થઈ રહ્યા હતા. આ બધા વચ્ચે સાહિલે સાક્ષી પર ત્રણ વાર પથ્થર વડે હુમલો કર્યો હતો. આ બધું થતું રહ્યું પણ લોકો અટક્યા નહીં ચાલતા જ રહ્યા. જોકે આ બધું જોઈને એક વ્યક્તિ થોડીક સેકન્ડ માટે રોકાઈ ગઈ પણ પછી તે પણ ચૂપચાપ આગળ વધી ગઈ.
વીડિયોમાં જોઈ શકાય છે કે, સાહિલ આખી 1 મિનિટ 27 સેકન્ડ સુધી ત્યાં જ રહ્યો, પરંતુ આ ઘટના પછી ન તો કોઈએ તેને રોક્યો કે ન તો તેને પકડવાનો પ્રયાસ કર્યો. આ મામલે કેટલાક સ્થાનિક લોકોના નિવેદનો આવ્યા છે તેઓ કહે છે કે, શાહબાદ ડેરીના ગુંડા આખા શહેરમાં પ્રખ્યાત છે અને અમારામાં તેમનો સામનો કરવાની હિંમત નથી. લોકોનું કહેવું છે કે, આ વિસ્તાર ચોરી, ગુંડાગીરી અને નશાખોરો માટે કુખ્યાત છે. લોકો ખુલ્લેઆમ દારૂ પીવે છે અને જો કોઈ તેમને પ્રશ્ન કરે તો તેઓ અપશબ્દો બોલે છે અને મારપીટ કરે છે. સ્થાનિકોએ કહ્યું કે, આ ઘટના વચ્ચેબોલીને પોતાનો જીવ જોખમમાં મુકવા કોણ ઈચ્છશે? આવા હુમલાઓ અહીં બહુ સામાન્ય છે.
શું હતો સમગ્ર મામલો ?
સોમવારે (29 મે) દિલ્હીની શાહબાદ ડેરીમાં 16 વર્ષની છોકરીની ચાકુ વડે નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. તેના પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. હત્યારો આટલેથી પણ ન અટક્યો અને એક પથ્થર ઉપાડીને બાળકીના માથામાં હુમલો કર્યો. હત્યાની આ ભયાનક ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. દિલ્હી પોલીસે ઘટનાના એ જ દિવસે ઉત્તર પ્રદેશના બુલંદશહેરથી આરોપીની ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ સાહિલ તરીકે થઈ હતી. તે એસી અને ફ્રીજ રિપેરિંગનું કામ કરે છે.
Sahil's phone was switched off since the murder and it has been recovered by the Police. Sahil had changed two buses to reach Bulandshahr. He has not been able to answer a few questions by the Police. He is doing this to perhaps mislead the Police. He will be taken on remand for…
પોલીસ પૂછપરછમાં ગુનો કબુલ્યો
મહત્વનું છે કે, ધરપકડ બાદ દિલ્હી પોલીસે આરોપીની પૂછપરછ કરી તો તેણે પોતાનો ગુનો કબૂલી લીધો. સાહિલે પોલીસને જણાવ્યું કે, તે બંને રિલેશનશિપમાં હતા અને તેને કોઈ અફસોસ નથી. તેણે કહ્યું કે યુવતી ઘણા દિવસોથી તેની અવગણના કરી રહી હતી, જેના કારણે તે ઘટના સમયે ગુસ્સે હતો.
શું કહ્યું આરોપી સાહિલે ?
નોંધનીય છે કે, પૂછપરછ દરમિયાન સાહિલે જણાવ્યું કે હત્યા બાદ તે રિઠાલા ગયો જ્યાં તેણે હત્યામાં વપરાયેલ છરી છુપાવી હતી. આ પછી સાહિલ બુલંદશહર ગયો. બુલંદશહેર પહોંચવા માટે તેણે બે વાર બસ બદલી. સાહિલ બચવામાં હોશિયાર હતો પણ પોલીસે તેને પકડી લીધો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સાહિલે હત્યા બાદ પોતાનો ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો, જે રીકવર કરવામાં આવ્યો છે.
સાક્ષીએ સાહિલનું સત્ય જાણી લીધું અને પછી...
આ તરફ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, પોલીસને સાહિલના ઈન્સ્ટાગ્રામ ચેટ પરથી જાણવા મળ્યું છે કે, તેની ઘણી યુવતીઓ સાથે મિત્રતા હતી. સાહિલ એક જ સમયે ઘણી છોકરીઓ સાથે સંબંધમાં હતો. પીડિતાને આ વાતની જાણ થઈ ગઈ હતી અને તેથી જ તે સાહિલથી અલગ થવા માંગતી હતી. આ પછી સાહિલે પીડિતાને મારી નાખવાનો પ્લાન બનાવ્યો.
શું હતી સમગ્ર ઘટના ?
દિલ્હીમાં એક છોકરીની ચાકુ મારીને હત્યા કરનાર આરોપી સાહિલ (ઉ.વ.20)ની ધરપકડ કરવામાં આવી છે. સાહિલે રવિવારે સાંજે શાહબાદ ડેરી વિસ્તારમાં 16 વર્ષની સાક્ષીની ઘાતકી હત્યા કરી હતી. સાહિલે સાક્ષીને 16 થી વધુ વાર છરીના ઘા માર્યા અને માથા પર 6 વખત પથ્થર વડે હુમલો કર્યો હતી. આ ઘટનાનો વીડિયો સીસીટીવીમાં કેદ થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર બંને રિલેશનશિપમાં હતા, પરંતુ શનિવારે બંને વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો.
મિકેનિક તરીકે કામ કરતાં સાહિલની બુલંદશહેરથી ધરપકડ
સાક્ષીની છરી વડે હત્યા કરનાર આરોપીની ઓળખ મોહમ્મદ સરફરાજના પુત્ર મોહમ્મદ સાહિલ તરીકે થઈ છે. તે શાહબાદ ડેરી વિસ્તારમાં જ રહે છે. વિગતો મુજબ સાક્ષીએ ઘણા દિવસોથી તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. રવિવારની સવારે બી બ્લોકમાં આરોપીઓએ યુવતીની ચાકુ મારીને હત્યા કરી હતી. આરોપી મોહમ્મદ સાહિલ (20) શાહબાદ ડેરી વિસ્તારમાં રહે છે અને મિકેનિક તરીકે કામ કરે છે. સાક્ષીની હત્યા કર્યા બાદ સાહિલ બુલંદશહેરમાં તેની બુઆ(ફોઇ)ના ઘરે ગયો હતો. પોલીસને તેના મોબાઈલના લોકેશન પરથી ખબર પડી. ત્યાં ગયા પછી તેણે તેની માતાને ફોન કર્યો અને કહ્યું કે તે બુઆ (ફોઇ) પાસે પહોંચી ગયો છે, ત્યારબાદ પોલીસે તેને પકડી લીધો.
સાક્ષીએ વાત કરવાનું બંધ કર્યું અને પછી....
વિગતો મુજબ સાક્ષીએ ઘણા દિવસોથી તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. રવિવારે રાત્રે સાહિલ અચાનક યુવતી સાથે સામસામે આવી જતાં તેણે છરી કાઢીને તેણીને નિર્દયતાથી મારવાનું શરૂ કરી દીધું હતું. આ ઘટના ત્યારે બની જ્યારે સગીર તેની મિત્ર ભાવના સાથે જન્મદિવસની પાર્ટીમાં ભાગ લેવા જઈ રહી હતી.
અચાનક આવ્યો સાહિલ અને ઉપરાછાપરી છરીના ઘા માર્યા
કિશોરીની મિત્ર ભાવના જાહેર શૌચાલયમાં ન્હાવા ગઈ આ દરમિયાન સાક્ષી ભાવનાના ઘરની બહાર ઉભી હતી. ત્યારે જ સાહિલ આવ્યો અને સાક્ષી સાથે વાત કરવા લાગ્યો અને વાત કરતી વખતે તેણે પોતાના ખિસ્સામાંથી છરી કાઢી અને સાક્ષીના પેટ પર અનેક વાર કર્યા, જેના કારણે તેણીનું મોત થયું. ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
પોસ્ટમોર્ટમમાં શું સામે આવ્યું ?
સાક્ષીના પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ 16 વર્ષની સગીર છોકરીને 16 વખત છરીના ઘા મારવામાં આવ્યા હતા. આ સાથે સાક્ષી ઉપર પથ્થર વડે પણ હુમલો કરવામાં આવતા તેણી ખોપડી ફાટી ગઈ હતી. મહત્વનું છે કે, પોસ્ટ મોર્ટમ બાદ સાક્ષીનો મૃતદેહ ઘરે લઈ જવામાં આવ્યો ન હતો. પોલીસ તેને હોસ્પિટલથી સીધો સ્મશાન ભૂમિ પર લઈ આવી જ્યાં નાના ભાઈ બિશાબ અને પિતાએ સાક્ષીને અગ્નિદાહ આપ્યો હતી. પાડોશીઓએ પોલીસ પર આરોપ લગાવ્યો કે, પોલીસે ઉતાવળમાં અંતિમ સંસ્કાર કર્યા. પાડોશીઓનું કહેવું છે કે, પોલીસે સાક્ષીનો મૃતદેહ ઘરમાં લાવવા દીધો ન હતો. ઘરને બદલે તેને સીધો સ્મશાનભૂમિ લઈ જવામાં આવ્યો.