હેરીટેજ સીટી અમદાવાદ આમ તો ગુજરાતની આર્થિક રાજધાની છે પણ અમદાવાદની કેટલીક ગલીઓ અને ખુણાઓને હોન્ટેડ કહેવામાં આવે છે. લોકોના અનુભવો અથવા તો વાયકાોથી સામાન્ય માણસ રાતે તો શું દિવસે પણ આવી જગ્યાએ જતા બીવે છે. અમદાવાદના હોન્ટેડ પ્લેસમાં સૌથી પહેલા અમદાવાદથી ગાંધીનગર જતી વખતે આવતું ફાર્મ છે. હા આ એ ફાર્મ છે જે ખુબ જ વિવાદાસ્પદ છે. અહિં રાતે એક આત્મા ફરતી હોવાની વાયકાઓ છે અને આ અંગેના અનુભવો પણ કેટલાકે વર્ણવ્યા છે.
અચાનક શાંતીને ચિરતી સંભળાય છે ચિસો
કોઈ મહિલા બંગલાથી રોડ તરફ દોટ મૂકે છે
દિવસે પણ જતા ડરે છે અમદાવાદીઓ
અમદાવાદથી ગાંધીનગર જવાના રસ્તે આવતુ આ ફાર્મહાઉસ શાનદાર છે. ત્યાંથી પસાર થનાર કોઈપણ વ્યક્તિને એકવાર તો અંદર જવાની ઈચ્છા થઈ જ જા પણ આ બહારથી શાંત દેખાતા બંગલામાંથી ક્યારેક ક્યારેક કાનને ફાડી નાંખે તેવી ચીસો સંભળાતી હોવાનું આસપાસના લોકો કહે છે. આ ફાર્મહાઉસની આસપાસ આમ તો ઝાઝી માનવ વસાહત નથી અને તે શહેરથી ખાસ્સા એવા અંતરે પણ છે.
વિવાદાસ્પદ ફાર્મહાઉસ સાથે જોડાએલો છે ખુની ઈતિહાસ
આ ફાર્મહાઉસ સાથે એક વિવાદાસ્પદ પણ સત્યઘટના જોડાએલી છે. આ ફાર્મહાઉસને રાજુભાઈના ફાર્મહાઉસ તરીકે ઓળખવામાં આવે છે. આ બંગલો ગુજરાતના વિવાદાસ્પદ સોહરાબુદ્દીન એનકાઉન્ટર કેસ સાથે જોડાએલો છે. સોહરાબુદ્દીનની પત્ની કૌશરબીને અહીં ગોંધી રખાઈ હોવાનું કહેવાય છે અને તેને મારીને બાળી તેની રાખ રોડ ઉપર પાથરી દેવાઈ હોવાની પણ ચર્ચાઓ થાય છે.
શાંત ફાર્મ હાઉસ થઈ ગયું અવાવરૂં
કૌશરબીની હત્યામાં ઘણા મોટા માથા સંડોવાયેલા હોવાનું કહેવાય છે. કરોડોની મિલકતનું આ ફાર્મહાઉસ સાવ નિર્જન થઈને પડ્યુ છે. આ ફાર્મહાઉસમાં હાલ પણ કૌશરબીની ચીસો સંભળાતી હોવાની વાયકા છે.
આવતી કાલે ફરીથી અમદાવાદની આવી જ કોઈ હોન્ટેડ પ્લેસની કહાની લઈને મળીશું.