દેશની રાજધાની દિલ્હી ન ફક્ત તેના ઈતિહાસ અને ઐતિહાસિક ઈમારતો માટે જાણીતી છે પણ અહીં સ્વાદિષ્ટ ફૂડ પણ મળે છે. અનેક એવી જગ્યાઓ છે જ્યાં નકારાત્મક શક્તિઓ હોવાનો દાવો પણ કરાય છે. આવું જ અહીંની ખૂની નદી સાથેનું કનેક્શન છે. માન્યતા છે કે આ નદીના પાણીને અડતાં જ વ્યક્તિ ગાયબ થઈ જાય છે.
દિલ્હીની આ નદીનું છે ખાસ ઐતિહાસિક કનેક્શન
ખૂની નદીના પાણીને અડતા જ વ્યક્તિ થઈ જાય છે ગાયબ
જોડાયેલી છે આ ખાસ માન્યતા પણ
ખૂની ખાન ઝીલ કે ખૂની નદી
પશ્ચિમી દિલ્હીના રોહિણી વિસ્તારમાં વહેતી એક નદી છે. તેની આસપા સ હરિયાળી અને સુંદર વ્યૂની પણ મજા મળી શકે છે. આ વિસ્તાર દેખાવમાં જેટલો સુંદર છે એટલો જ ખતરનાક પણ છે. આ નદીને ખૂની ખાણ ઝીલ કે ખૂની નદી પણ કહેવામાં આવે છે. અહીંના લોકોનું માનીએ તો તેઓએ આ વિસ્તારમાં રાતે રડવાની અને ચીસો પાડવાના અવાજો પણ સાંભળ્યા છે.
આસપાસ નથી દેખાતું કોઈ વ્યક્તિ
આ નદી અને તેની આસપાસના વિસ્તારોમાં કોઈ આત્માનો સાયો છે કે નહીં તેને વિશે કોઈ ખાસ માહિતી મળી રહી નથી, પણ લોકોના આધારે જે રીતે અહીં વારેઘડી મોત થતા રહે છે અને રડવાની અને ચીસો પાડવાના અવાજો આવે છે તેનાથી લોકોના મનમાં ડર બેસી ગયો છે. આ કારણ છે કે અહીં કોઈ વ્યક્તિ જોવા મળતું નથી.
1857ની લડાઈ સાથે છે આ નદીનું કનેક્શન
મળતી માહિતી અનુસાર આ નદીને ખૂની નદી એટલા માટે કહેવાય છે ત્યાં 1857ની લડાઈના સમયે જે પણ બાગી કે અંગ્રેજ મૃત્યુ પામ્યા હતા તેમની લાશોને આ નદીમાં ફેંકી દેવામાં આવતી હતી. ત્યારથી આ નદીને ખૂની નદી માની લેવામાં આવી છે.
આ જગ્યાને લઈને લોકોના છે અનેક દાવા
અહીં રહેનારા લોકો માને છે કે આ નદીના પાણીને જે પણ અડે છે તેને નદી ગળી જાય છે. આ સાથે તેની બોડી પણ મળતી નથી. અહીં અત્યાર સુધીમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. હવે આ મોતનું કારણ સુસાઈડ છે કે અન્ય તે તો ખબર નહીં. પણ લોકોનો દાવો છે કે જે લોકો અહીં મૃત્યુ પામે છે તેમની આત્મા અહીં રહેનારા લોકોને પરેશાન કરે છે અને જીવ લઈ લે છે.
જાઓ તો રાખો સાવધાની
જો તમે નબળા દિલના કે ડરપોક સ્વભાવના છો તો તમે અહીં ન જાઓ. તમે મિસ્ટ્રી લવર છો તો રહસ્યમય ચીજોને વિશે જાણો અને જોવાનો શોખ છે તો ફરી અહીં જરૂર જઈ શકો છો. આ માટે તમારે ખાસ તકેદારી પણ રાખવાની જરૂર છે.