શનિવારે ચાંદપાની પીડિતાના ઘરે પહોંચેલા ઉત્તર પ્રદેશ ના અધિક મુખ્ય સચિવ (ગૃહ) અને પોલીસ મહાનિદેશકે યુવતીના પિતા સામે હાથ જોડીને કહ્યું હતું કે તમે હાલાકી બંધ કરી શકો છો. શાંતિ બનાવવામાં અમારી સહાય કરો. આના પર પીડિતાના પિતાએ પણ હાથ જોડીને કહ્યું - સર, તમે અમને ન્યાય આપી શકો છો. બંને ઉચ્ચ અધિકારીઓએ સામે તેમને આની ખાતરી આપી હતી.
પોલીસ મહાનિદેશકે પીડિતાના પિતાને જોડ્યા હાથ
ACS અને DGP એ પીડિતાના પિતાની મદદ માંગી
પીડિતાના પિતાને કહ્યું,"હાલાકી બંધ કરાવો પ્લીઝ"
સરકારના વલણથી હતાશ પીડિતા ના પરિવારના સભ્યોએ ત્યાં બંને અધિકારીઓની સામે આશરે 40 મિનિટ સુધી પ્રશ્નો કર્યા હતા. એડીશનલ મુખ્ય સચિવ (ગૃહ) અવનિશ અવસ્થી અને પોલીસ મહાનિર્દેશક એચ.સી. અવસ્થી પીડિતા ના ઘરે પહોંચ્યા હતા. છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા અંધાધૂંધીને કારણે રાજ્ય સરકારની થતી બદનામી અંગે ચિંતિત આ અધિકારીઓએ પીડિતા ના પિતાની સામે હાથ મિલાવ્યા હતા અને શાંતિ માટે સહયોગ માંગ્યો હતો.
પીડિતાના પિતાએ પણ સામા હાથ જોડ્યા
પીડિતા ના પિતા પણ સામે આ જ મુદ્રામાં દેખાયા. તેમણે પુત્રી માટે ન્યાય માંગ્યો. બીજી તરફ, પીડિતા ના પરિવારજનોએ પણ તેમના હાથ જોડ્યા હતા અને કહ્યું હતું કે અમારા સવાલોના જવાબો આપો પ્લીઝ. એમ કહીને પરિવારે આ અધિકારીઓ સામે સવાલોનો મારો ચલાવ્યો. આથી પરિસ્થિતિ વધુ અસહજ થઈ ગઈ હતી. પીડિતા ના પરિવારે સ્પષ્ટ કર્યું હતું કે જો તમે પ્રશ્નોના જવાબ આપી શકતા નથી, તો સમજો કે અમે સંતુષ્ટ નથી.
આ સાથે પરિવારે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ધમકી આપવાની ફરિયાદ પણ કરી દીધી હતી. પરિવારે પૂછ્યું કે રાત્રે દીકરીનો મૃતદેહ કેમ સળગાવી દેવાયો? ચહેરો કેમ બતાવવામાં આવ્યો ન હતો? તે કોનું શરીર હતું? કેમ પેટ્રોલ નાખીને બાળી નાખ્યું? અધિકારીઓ આ પ્રશ્નો પર મૌન હતા.
"SIT તપાસ કરી રહી છે, તમે ધીરજ ધરો, ભૂતકાળ પાછો લાવી શકાતો નથી": અધિકારીઓ
છેવટે, તેમણે હાથ જોડીને ખાતરી આપી હતી કે તેઓ ધૈર્ય રાખે, તમામ દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે. SIT તપાસ કરી રહી છે. ભૂતકાળ પાછો લાવી શકાતો નથી. પરંતુ અમે તમને સાથ આપીશું. ગૃહ સચિવ અને DGP બપોરે 2.20 વાગ્યે ગામ પહોંચ્યા હતા. તેમણે તેના પરિવાર સાથે વાત કર્યા પછી ત્રણ વાગ્યે ગામ છોડી નીકળી ગયા હતાં.
કુટુંબની પીડાને ચટાઈ પર બેસીને સાંભળી
DGP અને અધિક મુખ્ય સચિવ ગૃહ ના આગમન અંગે વહીવટી તંત્રને એલર્ટ કરવામાં આવ્યું હતું. વહીવટીતંત્રે ઘરના આંગણામાં ચટાઈ પાથરીને પરિવારને બેસાડ્યો. વહીવટી અધિકારીઓએ જાતે ચટાઈ પાથરી હતી. ચટાઈ પર બેઠેલા DGP અને અધિક મુખ્ય સચિવ ગૃહ, પીડિતા ના પરિવાર ના સભ્યોની પીડા સાંભળી અને યોગ્ય ન્યાય અપાવવાની ખાતરી આપી.