કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગુરુવારે ઉત્તર પ્રદેશમાં હાથરસ ગેંગરેપની પીડિતાના પરિવારને મળવા હાથરસ જઈ રહ્યા છે. આ દરમિયાન હાથરસમાં ધારા 144 લાગુ કરવામાં આવી છે. ગેંગરેપ અને બર્બરતાનો શિકાર બનેલી 19 વર્ષીય પીડિતાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. ઉત્તર પ્રદેશ પોલીસે બીજી તરફ અડધી રાતે અંધારામાં પરિવારની ગેરહાજરીમાં તેનો અંતિમ સંસ્કાર કર્યો હતો. આ બાદ દેશમાં આક્રોશ ફેલાયેલો છે. બીજી તરફ અહીં પરિવારની સુરક્ષામાં રહેલા 3 પોલીસકર્મીઓ કોરોના પોઝિટિવ મળ્યા છે.
હાથરસમાં ધારા 144 લાગુ કરવામાં આવી છે
રાહુલ ગાંધી અને પ્રિયંકા ગેંગરેપની પીડિતાના પરિવારને મળવા હાથરસ જઈ રહ્યા છે
અહીં 3 પોલીસકર્મીઓ કોરોના પોઝિટિવ મળ્યા હતા
UPના હાથરસમાં યુવતી પર ગેંગરેપના મામલામાં પીડિતાનું સફદરજંગ હોસ્પિટલમાં અવસાન થયું છે. યુવતીના સંબંધીઓએ આ વાતની પુષ્ટિ કરી છે. 15 દિવસ પહેલા 14 સપ્ટેમ્બરના રોજ હાથરસમાં યુવતી પર ગેંગ રેપ થયો હતો. 4 આરોપીઓએ યુવતી સાથે ક્રૂરતા પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. યુવતીને અત્યંત ગંભીર હાલતમાં હોસ્પિટલ દાખલ કરાઈ હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવતીએ જીવ ગુમાવ્યો હતો. ઘટનાની જાણ કોઈને ન કરી શકે તે માટે નરાધમોએ તેની કરોડરજ્જુ તોડી નાંખ્યો હતો. તેની જીભ પણ કાપી નાંખી બર્બરતા આચરી હતી. ઉલ્લેખનીય છે કે પીડિતાએ ચાર આરોપીઓની ઓળખ કરી છે. રામુ, લવકુશ, રવિ અને સંદીપ નામના નરાધમોની ઓળખ કરાઈ છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સતત આ ઘટનાને લઈને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર હુમલો કરતા રહ્યા છે. રાહુલે બુધવારે કહ્યું હતુ કે યુપી પોલીસની આ શરમજનક ઘટના દલિતોને દબાવવા અને તેમની જગ્યા બતાવવા માટે છે. અમારી લડાઈ આ માનસિકતા સામે છે.
ત્યારે પ્રિયંકા ગાંધીએ સીએમનું રાજીનામુ માંગ્યુ છે બુધવારે તેમણે ટ્વીટ કરી કહ્યું કે યૂપીના સીએમને કેટલાક સવાલ પુછવા માંગુ છું. પરિવારજનો પાસેથી જબરજસ્તી છીનવીને પીડિતાના મૃતદેહને કમ સળગાવવામાં આવ્યો. 14 દિવસ ક્યાં સુતા હતા તમે. કેમ હરકતમાં ન આવ્યા. ક્યાં સુધી ચાલશે આ બધું. કેવા મુખ્યમંત્રી છો તમે?'
આ પહેલા પીડિતાની મોત સમયે પ્રિયંકાએ પરિવાર સાથે વાત કરી હતી. આ મામલો સામે આવ્યા બાદ પ્રિયંકાએ યૂપીના સીએમ યોગી આદિત્યનાથના રાજીમાની માંગ કરી હતી.
બીજી તરફ હાથરસ ગેંગરેપની પીડિતાના પરિવારજનોની સુરક્ષામાં લાગેલા 3 પોલીસકર્મીઓ કોરોના પોઝિટિવ મળ્યા છે. હવે આ આખા ગામને કેન્ટોનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવી શકે છે. આ ગામમાં ગૃહસચિવની આગેવાની વાળી એસઆઈટીની ટીમ હાજર છે. મીડિયાને ગામથી 1.5 કિમીના અંતરે રોકી દેવામાં આવ્યા છે.