હાથરસ કાંડને લઈને યુપીનું રાજકારણ હાલ ખૂબ ગરમાયું છે. આ સમયે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ગઈકાલે પીડિતાના પરિવારને મળ્યા હતા અને સાથે જ તેમના પ્રશ્નોને પણ રજૂ કર્યા હતા. આ કારણે રાજકારણ વધુ ગરમાયું હતું અને સાથે જ સત્તાધારી પક્ષ કોઈ પણ કાળે વિપક્ષ કે મીડિયાને આ મામલાથી દુર રાખવાનો પ્રયાસ કરી રહ્યો છે. જોકે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પીડિત પરિવારને મળવામાં ગઈકાલે સફળ રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગઈકાલે 3 દિવસ બાદ મીડિયાને પણ પીડિત પરિવારને મળવાની મંજૂરી મળતા મામલો વધુ ગરમાયો હતો.
હાથરસમાં ગરમાયું રાજકારણ
રાહુલ અને પ્રિયંકા ગાંધી મળ્યા પીડિતાના પરિવારને
રાહુલ અને પ્રિયંકા સમક્ષ પીડિત પરિવારે રજૂ કર્યા પ્રશ્નો
મુલાકાત બાદ પ્રિયંકાએ પરિવારના પ્રશ્નો રજૂ કર્યા
પીડિતાના પરિવાર સાથે મુલાકાત બાદ પ્રિયંકાએ કહ્યું કે પરિવારના 5 પ્રશ્નો છે. પરિવારને તેમના પ્રશ્નોનો જવાબ મેળવવાનો હક છે. યૂપી સરકારે પીડિતાના પરિવારને પ્રશ્નોના જવાબ આપવા જોઈએ. સુપ્રીમ કોર્ટ દ્વારા તપાસ થાય તેવું પીડિતાનો પરિવાર ઈચ્છે છે. DMને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને સાથે જ પરિવાર કહી રહ્યો છે કે મૃતદેહને અમારી મંજૂરી વિના પેટ્રોલથી અંતિમ સંસ્કાર શા માટે અપાયા. અમને ગુમરાહ કરાયા છે, અમને ધમકી આપવામાં આપી રહી છે, અમે કંઈ જોયું નથી તો અમે કેવી રીતે માની લઈએ કે મૃતદેહ અમારી દીકરીનો જ હતો.
परिवार आखिरी बार अपनी बेटी को नहीं देख सका। यूपी सीएम योगी आदित्यनाथ को अपनी जिम्मेदारी समझनी चाहिए। जब तक न्याय नहीं मिल जाता, हम यह लड़ाई जारी रखेंगे : हाथरस में कथित गैंगरेप पीड़िता के परिवार से मिलने के बाद कांग्रेस नेता प्रियंका गांधी वाड्रा#HathrasCasepic.twitter.com/H1piGLe7pe
પીડિતાના પરિવારને મળ્યા બાદ રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું કે હું પીડિતાના પરિવારને મળ્યો અને તેમનું દુઃખ સમજ્યું છે. પરિવારને વિશ્વાસ અપાવ્યો છે કે અમે તમારી સાથે છીએ. પરિવારને ન્યાય અપાવવામાં અમે પૂરી મદદ કરીશું. જો UP સરકાર ઇચ્છશે તો પણ મનમાની નહીં કરી શકે. દેશની દીકરીને ન્યાય અપાવવા સમગ્ર દેશ ઊભો છે.
मैं हाथरस के पीड़ित परिवार से मिला और उनका दर्द समझा। मैंने उन्हें विश्वास दिलाया कि हम इस मुश्किल वक़्त में उनके साथ खड़े हैं और उन्हें न्याय दिलाने में पूरी मदद करेंगे।
UP सरकार चाह कर भी मनमानी नहीं कर पाएगी क्यूँकि अब इस देश की बेटी को इन्साफ़ दिलाने पूरा देश खड़ा है।