હાથરસ કાંડના આરોપીએ જેલમાંથી પોલીસ અધિક્ષક(એસપી)ને ચીઠ્ઠી લખી છે. આ ચિઠ્ઠીમાં ચારેય આરોપીઓએ કહ્યુ કે તે નિર્દોષ છે. ઘટનાના મુખ્ય આરોપી સંદીપે દાવો કર્યો છે કે પીડિતાની સાથે તેની દોસ્તી હતી. જેના કારણે પરિવાર નારાજ હતો. સંદિપના જણાવ્યાનુંસાર આ સમગ્ર મામલો ઓનર કિલિંગનો છે.
સંદિપે કહ્યું કે પીડિતા સાથે મારી મિત્રતા હતી
હું ત્યાં પહોંચ્યો તો પીડિતાની સાથે તેની માતા અને ભાઈ હાજર હતા
પીડિતાની મા અને તેના ભાઈએ તેને ઢોર માર માર્યો છે
એસપીને મોકલવામાં આવેલી ચિઠ્ઠીમાં સંદિપે કહ્યું કે પીડિતા સાથે મારી મિત્રતા હતી. મુલાકાતની સાથે સાથે ક્યારેક ક્યારેક ફોન પર વાત થતી હતી. અમારી આ મિત્રતા તેના પરિવારને પસંદ નહોતી. ઘટનાના દિવસે પીડિતાએ મને ખેતરમાં મળવા બોલાવ્યો હતો. જ્યારે હું ત્યાં પહોંચ્યો તો પીડિતાની સાથે તેની માતા અને ભાઈ હાજર હતા.
ચિઠ્ઠીમાં સંદિપે કહ્યું છે કે પીડિતાના કહેવા પર હું મારા ઘરે જતો રહ્યો હતો. મારા પિતા સાથે ઢોરોને પાણી પીવડાવી રહ્યો હતો. ત્યારે મને ખબર પડી કે પીડિતાની મા અને તેના ભાઈએ તેને ઢોર માર માર્યો છે. તેને ગંભીર ઈજા થઈ હતી. બાદમાં તેનું મોત થયું છે. સંદીપે કહ્યું તે મે ક્યારેક પીડિતાને નથી મારી અને ન તો કોઈ ખોટુ કામ કર્યુ.
સંદીપનું કહેવું છે કે આ મામલામાં તે નિર્દોષ છે. મારા સંબંધી રવિ અને શમૂને પણ ફસાવવામાં આવ્યા છે. સાથે લવકુશનું નામ પણ નાખવામાં આવ્યું છે. અમે ચારેય નિર્દોષ છીએ. આ સમગ્ર મામલો નિષ્પક્ષ તપાસની માંગ કરે છે. હાથરસ જેલ અધિક્ષકે ચિઠ્ઠા લખાયાની ખરાઈ કરી છે. જો કે એસપી તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.
ઉલ્લેખનીય છે કે ગામમાં અનેક લોકો સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી રહ્યા છે. મીડિયા સાથે વાત કરતા લોકોએ કહ્યું કે અમારા છોકરાઓ નિર્દોષ છે. તેમને ફસાવવામાં આવ્યા છે. મામલામાં સીબીઆઈ તપાસની સાથે બન્ને પક્ષોના નાર્કો ટેસ્ટ થવા જોઈએ. ત્યારે પીડિતાના પરિવારની માંગ છે કે દોષીઓને આકરી સજા થવી જોઈએ.