આજે ફરી રાહુલ અને પ્રિયંકા ગાંધી ફરીથી હાથરસ જાય તેવી શક્યતા સેવાઈ રહી છે. આજે બપોર બાદ હાથરસ જવા રવાના થઈ શકે છે. આ પહેલા તેમણે પ્રયાસ કર્યો હતો. જો કે તે પહોંચે તે પહેલા તેમની ધરપકડ કરાઈ હતી.
રાહુલ-પ્રિયંકા ગાંધી ફરી હાથરસ જાય તેવી શક્યતા
બપોર બાદ હાથરસ જવા થઈ શકે છે રવાના
બીજી વખત હાથરસ જવા પ્રયાસ કરી શકે છે રાહુલ
હાથરસ મામલો ગરમાયો છે. જેના કારણે રાજકારણ પણ ગરમાયું છે. સત્તાધારી પક્ષ કોઈ પણ કાળે વિપક્ષ કે મીડિયાને આ મામલાથી દુર રાખવાનો પ્રયાસ કરી રહ્યો છે. જોકે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સતત પ્રયાસ કરી રહ્યા છે પીડિત પરિવારને મળવાના. જેને પગલે આદજ બપોરે રાહુલ અને પ્રિયંકા ગાંધી બીજી વખત હાથરસ જવા પ્રયાસ કરી શકે છે.
બે દિવસ પહેલા પણ રાહુલ હાથરસ જવા રવાના થયા હતા. જો કે તે હાથરસ પહોંચે તે પહેલા જ તેમની ધરપકડ કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે આ દુષ્કર્મને મામલે રાહુલ ગાંધીએ ગાંધી જયંતી પર ટ્વીટ કરીને સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ ટ્વીટરમાં લખ્યું કે, હું દુનિયામાં કોઈનાથી નહીં ડરું. હું કોઈપણ અન્યાય સામે નહીં ઝુકુ. હું અસત્યને સત્યથી જીતીશ અને અસત્યનો વિરોધ કરતા સમયે તમામ કષ્ટોને સહન કરીશ.
નોંધનીય છે કે ઈકોટેક 1 પોલીસના જણાવ્યાનુંસાર કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ પર મહામારી એક્ટ હેઠળ ભીડ ભેગી કરવા અને હાથરસમાં કલમ 144 લાગુ હોવાની જાણકારી હોવા છતાં યમુના એક્સપ્રેસ વેથી ત્યાં જવાનો પ્રયાસ કર્યો હતો. ઉત્તર પ્રદેશ સરકાર તરફથી ત્યાં એકઠા થઈને ન જાવાની આઈપીસી 188 હેઠળ કેસ દાખલ કર્યો છે. આમાં રાહુલ ગાંધી સહિત પ્રિયંકા ગાંધી સહિત 153 કોંગ્રેસિયો સામે આરોપી બનાવાયા છે. જેમાં પ્રમુખ નેતાઓમાં દિપેન્દ્ર હુડ્ડા, રણદીપ સુરજેવાલા, રાજીવ શુક્લા, અજય કુમાર લલ્લુ, રાગિની નાયક, આચાર્ય પ્રમોદ કૃષ્ણમ, મનોજ ચૌધરી સહિત અનેક નામ છે.