યુપીના હાથરસમાં પીડિતાના પિતાની હત્યાના પગલે અને રાજકીય નેતાઓએ સરકાર પર નિશાન સાધ્યું છે. બીજી તરફ સીએમ યોગીએ કડક પગલા ભરવાના આદેશ આપ્યા છે.
ગૌરવની વિરુદ્ધ પરિવારે કર્યો હતો કેસ
મૃતકની દીકરીનું કહેવું છે કે તેની છેડતી કરનારે પિતાને ગોળી મારી
ભાજપનો આરોપ સમાજવાદી પાર્ટી સાથે જોડાયેલો છે ગૌરવ
સોમવારે સાંજે પોતાના ખેતરમાં બટાકાની ખેતી કરી રહેલા અમરીશ પર ચાર લોકોએ ફાયરિંગ કર્યુ હતુ. ગોળીઓથી ઘાયલ અમરીશનું હોસ્પિટલ લઈ જતા સમયે રસ્તામાં મોત નિપજ્યું હતુ. અમરિશે દીકરીની છેડતી કરનાર સામે ફરિયાદ નોંધાવી હતી. જેની દાઝ રાખી આરોપીએ તેમની હત્યા કરી. મળતી માહિતી મુજબ બન્ને પરિવારોમાં ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. જેમાં હત્યાનો મુખ્ય આરોપી ગૌરવ શર્મા એક મહિનો જેલમાં પણ રહ્યો છે.
એક હત્યારાની ધરપકડ, બાકીનાની તપાસ ચાલુ
પોલીસ અધિક્ષક વિનીત જાયસવાલે જણાવ્યું તે 50 વર્ષીય વ્યક્તિની હત્યાના મામલામાં હત્યારોપી લલિત શર્માની ધરપકડ કરાઈ છે. બાકીનાની શોધ ચાલું છે.
ગૌરવની વિરુદ્ધ પરિવારે કર્યો હતો કેસ
એસપી વિનીતે જણાવ્યું કે દોઢ વર્ષ પહેલા જુલાઈ 2018માં અમરીશ દ્વારા છેડછાડની એક ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. જેમાં ગૌરવ શર્મા નામના વ્યક્તિને જેલ પણ થઈ હતી. જે 1 મહિના બાદ જામીન પર બહાર આવ્યો હતો. એસપીએ જણાવ્યું કે મૃતકના પરિવરાનું કહેવું છે કે તેમની જૂની અદાવત ચાલતી આવી રહી હતી. જેના કારણે 1માર્ચે ગામમાં મંદિરમાં દીકરીઓ હાજર હતી. ત્યારે ગૌરવ શર્મા, તેની પત્ની અને તેની માસી મંદિરમાં આવ્યા હતા. બન્નેમાં ઝઘડો થયો હતો. એ બાદ ગૌરવે અમરીશ પર ફાયરિંગ કરી દીધું જેમાં તેમનું મોત થયું.
મૃતકની દીકરીનું કહેવું છે કે તેની છેડતી કરનારે પિતાને ગોળી મારી
યુવતીનું કહેવું છે કે મારી સાથે છેડતી કરનારાની સામે પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. આ વાતને લઈને તેમણે મારા પિતાને ગોળીમારી હત્યા કરી દીધી છે. ત્યારે ગોળી મારનારનું નામ ગૌરવ શર્મા જણાવ્યું હતુ. જેણે 3 સાથીઓની સાથે મળી ફાયરિંગ કર્યુ છે. તેમનો જૂનો છેડતીનો કેસ ચાલી રહ્યો હતો તેને લઈને તેણે બદલો લીધો.
ભાજપનો આરોપ સમાજવાદી પાર્ટી સાથે જોડાયેલો છે ગૌરવ
ભાજપના સાંસદ સુબ્રત પાઠકનો આરોપ છે કે ગૌરવ શર્મા સમાજવાદી પાર્ટી સાથે જોડાયેલો છે. તેમણે ટ્વીટ કરી કહ્યું કે લાલ ટોપીથી સાવધાન, આ સમાજવાદી નેતાએ હાથરસમાં યુવતીની છેડતીનો વિરોધ કરી રહેલા પિતાની હત્યા કરી. આવા ગુનેગારોને સમાજવાદી પાર્ટી સમર્થન કરે છે. જેટલો મોટો ગુનેગાર તેટલો મોટો સમાજવાદી.
સપાએ ભાજપ પર સાધ્યુ નિશાન
ત્યારે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે હાથરસની દીકરી બાદ હવે હાથરસમાં વધુ એક દીકરીની સાથે છેડતીની ફરિયાદ કરનારા પિતાની જગજાહેર હત્યા થઈ. ભાજપ સરકાર હતાશ ઉત્તરપ્રદેશની મહિલાઓએ ન્યાય માંગવો પણ સરકાર પાસેથી છોડી દીધો છે.