કોંગ્રસ સાંસદ રાહુલ ગાંધીએ હાલમાં જ કહ્યું હતું કે 'શર્મનાક સત્ય તો એ છે કે અનેક ભારતીય લોકો દલિતો, મુસ્લિમો અને આદિવાસીઓને મનુષ્ય જ નથી માનતા.' પોતાના આ ટ્વિટ પર રાજકીય દળો અને સોશિયલ મીડિયા પર મળેલી પ્રતિક્રિયાના જવાબમાં રાહુલ ગાંધીએ એક વીડિયો ટ્વિટ કરી કહ્યું, 'આ વીડિયો તેના માટે છે જે હકીકતથી દૂર ભાગી રહ્યાં છે, હમ બદલેંગે, દેશ બદલેગા'.
આ વીડિયોમાં હાથરસ (Hathras case) ના બુલાગઢી ગામમાં લોકો સાથે વાતચીત કરવામાં આવી છે. આ વાતચીતમાં કોઇએ કહ્યું કે 'દલિત તો અછૂત હોય છે' તો કોઇએ કહ્યું કે 'તેઓને આજે પણ ભેદભાવનો શિકાર બનવું પડે છે.'
આ પહેલા રવિવારના રોજ વાયનાડ સાંસદ રાહુલ ગાંધીએ હાથરસની ઘટના પર ઉત્તર પ્રદેશ સરકાર પર નિશાન તાકતા કહ્યું હતું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને તેમની પોલીસે કહ્યું કે કોઇપણ સાથે દૂષ્કર્મ થયું નથી, કારણ કે તેમના માટે તેમજ બીજા અન્ય ભારતીયો માટે તો હાથરસ મામલાની પીડિત 'કોઇ હતી જ નહીં'.
ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશના હાથરસમાં એક દલિત યુવતી સાથે કથિત સામૂહિક દૂષ્કર્મ પછી મૃત્યું થયું હતું. રાહુલ ગાંધીએ ટ્વિટમાં કહ્યું કે શરમજનક હકીકત તો એ છે કે અનેક ભારતીય લોકો દલિતો, મુસ્લિમો અને આદિવાસીઓને મનુષ્ય માનતા નથી.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું, 'મુખ્યમંત્રી અને તેમની પોલીસે કહ્યું કે કોઇ દૂષ્કર્મ થયું નથી કારણ કે તેમના માટે અનેક અન્ય ભારતીયો માટે તો તે 'કોઇ હતી જ નહીં'.'