આઈપીએસ એસોસિયેશન હાથરસના કેસમાં ફક્ત પોલીસ અધિકારીઓ પર કરવામાં આવેલી કાર્યવાહીથી નારાજ છે. એસોસિયેશનના સૂત્રોથી મળેલી માહિતી અનુસાર એક તરફની કાર્યવાહી પોલીસ પર કરવામાં આવી છે જ્યારે જવાબદારી સમગ્ર પ્રશાસન પર હોવી જોઈએ. આ માટે ડીએમ પર કોઈ કાર્યવાહી શા માટે ન કરવામાં આવી.
ફક્ત પોલીસ અધિકારી પર કાર્યવાહીથી નારાજ
ડીએમ પર કાર્યવાહી કેમ ન કરાઈઃ એસોસિયેશન
બેદરકારી માટે ફક્ત પોલીસ શા માટે જવાબદાર
એસોસિયેશનનું કહેવું છે કે જ્યારે એસપી પર કાર્યવાહી થઈ શકે છે તો ડીએમ પર કેમ નહીં. જો કોઈ બેદરકારી થઈ છે તો પોલીસ એકલી શા માટે જવાબદાર ગણી શકાય. આદેશ પ્રશાસનિક હોય છે અને પોલીસ તેને ફક્ત લાગૂ કરવાનું કામ કરે છે.
આઈએએસ અને આઈપીએસ એસોસિયેશનની વચ્ચે તકરાર
ડીએમ અને હોમ સેક્રેટરી જ્યારે સ્થળ પર ગયા તો ડીજીપી હિતેશ અવસ્થીએ આ વાત કહી હતી કે ડીએમના આદેશ હતા. કુલ મળીને હાથરસ કેસને આઈએએસ અને આઈપીએસ એસોસિયેશનની વચ્ચે તકરારનું કામ કર્યું છે. જો કે કેસમાં એસપી, ડીએસપી પર દબાવ કાયમ છે. બંનેને સસ્પેન્ડ કરાયા હતા. આ સિવાય આદેશ અપાયો હતો કે દરેકના નારકો પોલિગ્રાફ ટેસ્ટ પણ કરાવાશે. તેમાં પીડિતાનો પરિવાર પણ સામેલ છે. જો કે તેઓએ આ ટેસ્ટનો વિરોધ કર્યો છે.
મુખ્યમંત્રીએ આપ્યા કાર્યવાહીના આદેશ
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રાથમિક રિપોર્ટના આધારે એસપી, ડીએસપી, ઈન્સ્પેક્ટર અને કેટલાક અન્યની વિરુદ્ધમાં સસ્પેન્શનની કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. એસઆઈટીના રિપોર્ટમાં હાથરસના પોલીસ અધિક્ષક વિક્રાંત વીર પર પણ બેદરકારીનો આરોપ મૂકાયો છે.
પ્રશ્નોના સકંજામાં છે ડીએમ
હાથરસ કાંડમાં જિલ્લાધિકારી પ્રવીણ કુમાર પણ પ્રશ્નોમાં ફસાયા છે. પીડિતાના પરિવારે ડીએમ પર ધમકાવવા અને દબાણ કરવાનો આરોપ લગાવ્યો છે. પીડિતાના ભાઈનું કહેવું છે કે અમે કયો ગુનો કર્યો છે કે તેઓ અમારી સાથે ગેરવર્તણૂંક કરી રહ્યા છે. તેઓએ ડીએમને હટાવવાની પણ માંગ કરી છે.
ન્યાયિક તપાસની માંગ
હાથરસ કાંડની જવાબદારી હવે સીબીઆઈની છે. પીડિતાના પરકિવારે કહ્યું કે તેઓ ન્યાયિક તપાસ ઈચ્છે છે. પીડિતાના ભાઈએ કહ્યું છે કે તેઓ ન્યાયિક તપાસમાં સુપ્રીમ કોર્ટનો નિર્ણય ઈચ્છે છે. સીબીઆઈ તપાસ નહીં. તેનું કહેવું છે કે અમને અમારા પ્રશ્નોના જવાબ મળી રહ્યા નથી. તમે ગમે તેનાથી તપાસ કરાવો. પણ આ તપાસ સુપ્રીમ કોર્ટના જજની દેખરેખમાં થાય તેવું ઈચ્છે છે.