ઉત્તરપ્રદેશના હાથરસ કાંડ મામલે રાજકીય હોબાળો મચ્યો છે. કેસને લઇને ઉત્તરપ્રદેશની યોગી સરકાર વિપક્ષી દળોના નિશાને છે. મુખ્યમંત્રીએ CBI તપાસના આદેશ બાદ વિપક્ષી દળો પર આકરા પ્રહાર કર્યા છે.
ઉત્તરપ્રદેશના હાથરસ કાંડ મામલે રાજકારણ ગરમાયું
યોગી આદિત્યનાથે વિપક્ષ પર માહોલ બગાડવાના પ્રયાસનો આક્ષેપ લગાવ્યો
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું- દંગા કરાવવા માંગે છે વિપક્ષ
ઉત્તરપ્રદેશના હાથરસ જિલ્લાના બુલગઢી ગામમાં થયેલ દર્દનાક ઘટના બાદ સ્થિતિ તણાવપૂર્ણ છે. શાંતિ વ્યવસ્થા બનાવી રાખવા માટે ગામને છાવણીમાં ફેરવી નાખવામાં આવ્યું છે. ગામમાં પોલીસનો કડક બંદોબસ્ત છે. મામલાની તપાસ માટે SITની ટીમ આજે ગામ પહોંચી છે. ત્યારે કોંગ્રોસના રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ પીડિતાના પરિવારને મળ્યા બાદ આજે બીજા અન્ય પક્ષોના નેતા પણ પહોંચી રહ્યા છે. ત્યારે હવે આ મામલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિપક્ષ પર માહોલ બગાડવાના પ્રયાસનો આક્ષેપ લગાવ્યો છે.
મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે, તેમને વિકાસ સારો નથી લાગી રહ્યો. એટલા માટે દેશ અને પ્રદેશમાં જાતિય દંગા, સાંપ્રદાયિક રમખાણ કરાવવાના ષડયંત્ર કરી રહ્યા છે, જેનાથી આ પોતાની રાજનીતિ કરી શકે. દંગાથી પ્રદેશનો વિકાસ અટકશે અને આની આડમાં તેમને પોતાની રોટી શેકવાનો અવસર મળશે, એટલા માટે નતનવા ષડયંત્રો કરતા રહે છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, આ ષડયંત્રો પ્રત્યે સમગ્ર રીતે ચેતીને આપણે આ વિકાસની પ્રક્રિયાને આગળ વધારવાની છે.