પંચમહાલ જિલ્લાના ઘોઘંબા પાસે આવેલો હાથણી ધોધ વરસાદના કારણે સજીવન થયો હતો...તો અહીં રમણીય કુદરતી સૌંદર્યનો લાભ લેવા માટે દૂર દૂરથી પ્રવાસીઓ આવી રહ્યા છે. આ કુદરતી ઝરણું વરસાદી સિઝનમાં જ સજીવન થતું હોય છે સાથે જ આસપાસની લીલોતરી અને ઉંચાણવાળા વિસ્તારમાંથી પસાર થતો ધોધ અને ખળખળ વહેતું પાણી લોકોનું મન મોહી લે તેવું છે. અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ ધોધમાં ન્હાવા માટે અને નજારો માણવા માટે આવી પહોંચતા હોય છે.. જોકે અહીં પાણીનો પ્રવાહ વધી જતાં સહેલાણીઓને હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે..કારણ કે ધોધ સુધી પહોંચવા માટે ઝરણામાંથી જ પસાર થવું પડે છે. જેથી લોકોને અવર જવરમાં મુશ્કેલી પડે છે.