અમદાવાદના હાથિજણ વિસ્તારમાં આવેલ DPS સ્કૂલની માન્યતા રદ થયા બાદ વાલીઓ બાળકોના LC લેવા સ્કૂલે પહોચ્યા, પરંતુ શાળાએ ફી માગતા વાલીઓ રોષે ભરાયા હતા.
હાથિજણની DPS સ્કૂલનો વિવાદ વધુ વકર્યો
મંજૂરી ન હોવા છતા વાલીઓને ફિ ભરવાનું કહ્યું
ફી ભરવાનું કહેતા વાલીઓએ માચાવ્યો હોબાળો
અમદાવાદમાં હાથિજણ વિસ્તારમાં આવેલ નિત્યાનંદની સાઠગાઢ વાળી DPS સ્કૂલ ફરી એક વખત વિવાગોમાં આવી છે. સ્કૂલની માન્યતાની અરજી રદ કરી દેવામાં આવી છે. જેના કારણે 400 વિદ્યાર્થીઓનું ભવિષ્ય હાલ જોખમમાં મુકાઈ ગયું છે. પરિણામે વાલીઓમાં આજે બરાબરનો રોષ જોવા મળ્યો હતો.
ફોન કરીને LC બોલાવ્યા
શાળા દ્વારા વાલીઓને LC લઈ જવા માટે ફોન કરવામાં આવ્યો હતો. જેથી વાલીઓ ત્યા LC લેવા પહોચ્યા. પરંતુ ત્યા તો સ્કૂલે પહેલા વાલીઓને એવું કહ્યું કે આગળની ફી ભરવા તેમજ સરભર કરવા જણાવ્યું હતું.
વાલીઓમાં રોષનો માહોલ
શાળા દ્વારા વાલીઓને એવું કહેવામાં આવ્યું કે જો તેઓ આગળી ફી ભરશે તોજ તેમને LC આપવામાં આવશે. જેથી વાલીઓ રોષે ભરાયા હતા. કારણકે જ્યા સુધી સ્કૂલ LC નહી આપે ત્યા સુધી વિદ્યાર્થીઓને બીજી કોઈ પણ સ્કૂલમાં એડમીશન નહી મળી શકે. કારણકે કોઈ પણ વિદ્યાર્થી પાસે જ્યારે LC હોય તોજ બીજી સ્કૂલ તેને એડમીશન આપતી હોય છે.
શિક્ષણ વિભાગે અરજી નામંજૂર કરી
હાથીજણની DPS સ્કૂલ પાસે મંજૂરી ન હતી તેમ છતા કેણે વિદ્યાર્તીઓને એડમીશન આપ્યા હતા. શાળાના સંચાલકોએ મંજૂરી માટે શિક્ષણ વિભાગને અરજી મોકલી તો શિક્ષણ વિભાગે તેમની અરજી નામંજૂર કરી દીધી છે.
400 વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં
ઉલ્લેખનીય છે કે હાલ DPS સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ દોડતા થઈ ગયા છે. કારણકે તેમને તેમના બાળકનું તાત્કાલીક બીજી સ્કૂલમાં એડમીશન કરાવું પડે તેવી સ્થિતી સર્જાઈ છે. પરંતુ બીજી તરફ શાળા દ્વારા આગળની ફીની માગ કરીને LC આપવાની વાત કરવામાં આવી છે. જેથી 400 વિદ્યાર્થીઓના ભવિષ્ય હાલ જોખમમાં મુકાઈ ગયા છે.