હસ્તરેખા શાસ્ત્ર અનુસાર આ રેખાઓ જન્મ પહેલા જ બની જાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મનુષ્યના સદભાગ્ય અને દુર્ભાગ્ય વિશે આ રેખાઓ જવાબદાર હોય છે.
શું કહે છે તમારા હાથની રેખાઓ.
હાથની રેખાઓ પરથી જાણો તમારું ભવિષ્ય.
આ રેખા હશે જીવનમાં આવશે અનેક મુશ્કેલીઓ.
હાથ પર જે પણ રેખા મળે છે, તેનો સીધો સંબંધ ભવિષ્ય સાથે હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મનુષ્યના સદભાગ્ય અને દુર્ભાગ્ય વિશે આ રેખાઓ જવાબદાર હોય છે. આ રેખાઓની મદદથી મનુષ્યના જીવન મરણ વિશે જાણી શકાય છે અને શુભ અશુભ ધટનાઓનો સંકેત મળે છે. હસ્તરેખા શાસ્ત્ર અનુસાર આ રેખાઓ જન્મ પહેલા જ બની જાય છે. દરેક વ્યક્તિના હાથમાં તમામ પ્રકારની રેખાઓ હોય છે, તેના માટે તેનું નસીબ જવાબદાર હોય છે. તમારા હાથનું ગણિત શું કહે છે, એ વિશે અમે તમને જણાવીશું.
રાહુની રેખા શુભ હોય છે
જે વ્યક્તિના હાથમાં રાહુની રેખા હોય છે, તેનું જીવન સુખી હોય છે. તેમના જીવનમાં કોઈપણ પ્રકારની ચિંતા અને અડચણ આવતી નથી. જેને ચિંતા રેખા, વિધ્ન રેખા અને તણાવ રેખા પણ કહે છે. આ રેખા મંગળ પર્વત નીચેથી શરૂ થાય છે, પરંતુ આ રેખા તમામ લોકોના હાથમાં નથી હોતી. હાથના અંગૂઠાના નીચેના ભાગથી લઈને જીવન રેખા તરફ જતી રેખાને ચિંતા રેખા કહે છે. આ તમામ ચિંતા રેખા પરેશાની ઉત્પન્ન કરતી નથી.
આ આડી રેખાઓને અશુભ માનવામાં આવે છે
જે લોકોના હાથમાં આડી રેખા હોય છે અને અન્ય રેખાને ભેદીને જાય છે તેને અશુભ માનવામાં આવે છે. આ પ્રકારની રેખા આરોગ્ય અને આત્મવિશ્વાસ માટે અશુભ માનવામાં આવે છે. આ રેખાઓને કારણે વ્યક્તિએ અસળતાનો સામનો કરવો પડે છે. આ પ્રકારની રેખાને કારણે વ્યક્તિ હંમેશા પરેશાન અને અસ્વસ્થ રહે છે.
શનિ પર્વત પર ક્રોસનું નિશાન
જે વ્યક્તિના હાથમાં શનિ પર્વત પર ક્રોસનું નિશાન બને છે, તેને અશુભ માનવામાં આવે છે. આ પ્રકારના લોકોએ તેમના જીવનમાં બદનામીનો સામનો કરવો પડે છે. કોઈપણ પ્રકારના મામલે તેમને મોટી સજા થઈ શકે છે. આ પ્રકારના લોકોના જીવનનો અંત ખૂબ જ ખરાબ હોય છે. શનિ પર્વત પર તારા જેવું નિશાન હોય તો તે ભયાનક દુર્ઘટના, ગંભીર ઈજા અને બિમારીનો નિર્દેશ કરે છે.
વિવાહ રેખા અને ભાગમાં વિભાજિત થવી
જે વ્યક્તિના હાથમાં અનેક વિવાહ રેખા હોય છે, તે વ્યક્તિના વૈવાહિક જીવનમાં અનેક સમસ્યા આવે છે. આ પ્રકારના લોકો તેમના પાર્ટનર સાથે મતભેદ થવાને કારણે અલગ થઈ જાય છે અથવા અલગ અલગ શહેરમાં નોકરી હોવાને એકબીજાથી દૂર રહે છે. આ પરિસ્થિતિમાં વાત તલાક સુધી પહોંચી જાય છે.
(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)