Talati exam: 7 મેના રોજ યોજાનારી તલાટીની પરીક્ષાને લઈને હસમુખ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, ઉમેદવારોને 50-60 કિમીના વિસ્તારમાં જ કેન્દ્ર ફાળવવામાં આવશે.
7 મેના રોજ લવાશે તલાટીની પરીક્ષા
20 એપ્રિલે કન્ફર્મેશનની પ્રક્રિયા પૂર્ણ થશે
પરીક્ષા શરૂ થવા સમયે પ્રશ્નપત્ર અપાશે
ગુજરાતભરમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં નિર્વિઘ્ને સમાપ્ત થયા બાદ હવે વહીવટી તંત્રએ તલાટીની પરીક્ષાને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. આગામી 07 મે, 2023ના રોજ તલાટીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે તલાટીની પરીક્ષાને લઈને પંચાયત સેવા પસંદગી મંડળના ઈન્ચાર્જ હસમુખ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, જેઓ તલાટીની પરીક્ષા આપવા માંગે છે, તેઓએ કન્ફર્મેશન કરાવવું ફરજિયાત છે. કેન્ફર્મેશન ન આપનારા ઉમેદવારો પરીક્ષા આપી શકશે નહીં.
6 લાખથી વધુ ઉમેદવારોએ આપ્યું છે કન્ફર્મેનશઃ હસમુખ પટેલ
તેમણે કહ્યું કે, કન્ફેર્મેશનની પ્રક્રિયા 20 એપ્રિલે પૂર્ણ થશે. અત્યાર સુધીમાં 6 લાખથી વધુ ઉમેદવારોએ કન્ફર્મેશન આપ્યું છે. જેથી બાકીના ઉમેદવારો છેલ્લી ઘડીની રાહ જોયા વિના કન્ફર્મેશન આપે તે જરૂરી છે. ઉમેદવારોની સંખ્યા અને ઉપલબ્ધ કેન્દ્રોના આધારે કેન્દ્રની ફાળવણી કરવામાં આવશે. ઉમેદવારોને 50-60 કિમીના વિસ્તારમાં જ કેન્દ્ર ફાળવવામાં આવશે.
1 કલાકમાં સોલ્વ થઈ શકે તેવું પેપર હશેઃ હસમુખ પટેલ
તેમણે ઉમેદવારોને મુંજવતા પ્રશ્ન અંગે સ્પષ્ટતા કરી કે, કન્ફર્મેશનની રસીદ ડાઉનલોડ કરવાની જરૂર નથી. જે ઉમેદવારો સંમતિપત્રક ભરશે, તે ઉમેદવારો જ કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. તલાટીના પેપર અંગે હસમુખ પટેલે કહ્યું કે, પરીક્ષા શરૂ થવાના સમયે પ્રશ્નપત્ર આપવામાં આવશે. એક કલાકમાં પેપર સોલ્વ કરી શકે તેવું પેપર હશે, પરંતુ ઉમેદવાર પર આધારિત છે કે ઉમેદવાર પેપર વહેલું પૂર્ણ કરી શકે કે પ્રશ્નો છુટી શકે.
ટ્વિટ કરીને આપી હતી મહત્વની જાણકારી
ગઈકાલે ટ્વિટ કરીને પણ તલાટીની પરીક્ષાને લઇ હસમુખ પટેલે મહત્વની જાણકારી આપી હતી. હસમુખ પટેલે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, 'પ્રશ્નપત્ર પરીક્ષા શરૂ થવાના સમયે એટલે કે 12:30 વાગે જ આપવામાં આવશે.' તમને જણાવી દઇએ કે, ઉમેદવારોએ અગાઉ પેપર વહેલું આપવાની રજૂઆત કરી હતી. આથી આ મુદ્દે હસમુખ પટેલે ટ્વિટ કરીને સ્પષ્ટતા કરી છે. પ્રશ્નપત્ર અપાતા પહેલાં ઉમેદવારો પાસેથી અંગૂઠાનું નિશાન અને સહી લહી લેવાશે.
પ્રશ્નપત્ર પરીક્ષા શરૂ થવાના સમયે એટલે કે 12:30 વાગે જ આપવામાં આવશે.
આ પહેલા સંમતિપત્રને લઇને અન્ય ટ્વિટ દ્વારા હસમુખ પટેલે મહત્વની જાણકારી આપતા કહ્યું હતું કે, 'ઉમેદવારોની સંખ્યાના આધારે પરીક્ષા કેન્દ્ર નક્કી થાય છે. ત્યારબાદ કેન્દ્રના નામ સાથેના કોલ લેટર ડાઉનલોડ કરવાના થાય છે. જેથી કોલ લેટર ડાઉનલોડ થયા બાદ સંમતિપત્ર કરવાનો કોઈ ફાયદો નથી.' આ સિવાય કહ્યું હતું કે, 'સંમતિ પત્ર ભર્યા બાદ કોઈ ઉમેદવાર કોઈ કારણસર પરીક્ષા ન આપી શકે તો ઉમેદવાર વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવાની થતી નથી. ઉમેદવાર પરીક્ષા આપવા ઈચ્છા ધરાવતા હોય તેઓ વહેલી તકે સંમતિપત્ર ભરી લે.'
ઉમેદવારોની સંખ્યાના આધારે પરીક્ષા કેન્દ્ર નક્કી થાય છે. ત્યારબાદ કેન્દ્રના નામ સાથેના કોલ લેટર ડાઉનલોડ કરવાના થાય છે. જેથી કોલ લેટર ડાઉનલોડ થયા બાદ સંમતિપત્ર કરવાનો કોઈ ફાયદો નથી.
ઉમેદવારે કન્ફર્મેશન ફોર્મ કેવી રીતે ભરવું?
- સૌ પ્રથમ https://ojas.gujarat.gov.in/ની વેબસાઈટ પર જાઓ
- ત્યાર બાદ Select Jobમાંથી જાહેરાત પસંદ કરો.
- ત્યારબાદ તમારી અરજીનો કન્ફર્મેશન નંબર અને જન્મતારીખ નાખો.
- પછી કન્ફર્મેશન ફોર્મ કરવા માટે I agree and submit બટન પર ક્લિક કરો.
- આટલું કરો એટલે તમારું ફોર્મ સફળતાપૂર્વક કન્ફર્મેશન થઈ જશે.