રાજ્ય સરકારે કોરોના ઇફેક્ટથી ખાલી થયેલી સરકારી તિજોરી ભરવા માટે સરકારી પડતર જમીન વેચવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત સરકાર પાસે હાલ દસ લાખ હેક્ટર જેટલી જમીન પડતર છે. જમીન વેચીને તેમાંથી મેળવાયેલાં ભંડોળને સરકાર પોતાના ખર્ચ માટે ઉપયોગ કરશે.
નવી આવક ઉભી કરવા સરકાર પડતર જમીનો કરશે વેચાણ
ઉદ્યોગ અને રહેણાંક હેતુ માટે સરકાર વેંચી શકે છે જમીન
આર્થિક ભંડોળ ભેગુ કરવા રાજ્ય સરકાર જમીનો વેચશે
આર્થિક સુધારા માટે રચાયેલી છ સભ્યની અને પૂર્વ કેન્દ્રીય નાણાં સચિવ હસમુખ અઢિયાના અધ્યક્ષ સ્થાને બનેલી કમીટિએ શુક્રવારે સરકારને અહેવાલ આપી દીધો છે. લોકડાઉનના કારણે રાજ્યને આવકમાં મોટો ફટકો પડ્યો છે. ત્યારે રાજ્ય સરકારને આવક ઉભી કરવા અઢિયા સમિતિની ભલામણો કામે લગાડી છે. હસમુખ અઢિયા સમિતિના વચગાળાના રિપોર્ટમાં ભલામણો કરવામાં આવી છે. જેમાં રાજ્ય સરકારને 26,996 કરોડ ઉભા કરવા ભલામણો કરાઈ છે.
231 સૂચનો આપ્યાં
આ કમીટીએ સરકારને 231 સૂચનો આપ્યાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નવા જંત્રી દરો લાગૂ કરવા માટે સરકાર જંત્રીના દરોનું પુનઃ મૂલ્યાંકન કરશે. આ માટે એકાદ માસનો સમય લાગશે પરંતુ જુલાઇ માસમાં નવા દરો નક્કી થાય તેવી શક્યતા જોવાઇ રહી છે.
ગુજરાત સરકાર જંત્રીના દરો વધારવાની વિચારણા કરી રહી હોવાથી મિલકત વેરામાં વધારો પણ થશે. નવા આકર્ષક નિયમો સાથે સરકાર તેની પડતર જમીન રહેણાંક અને ઉદ્યોગ સ્કિમ માટે વેચવાનો નિર્ણય લીધો.
કોરોનાકાળમાં સરકારી તિજોરી ખાલી!
આર્થિક ભંડોળ એકઠું કરવા રૂપાણી સરકારનો નિર્ણય
સરકારે પડતર જમીન વેચવાનો કર્યો નિર્ણય
10 લાખ હેક્ટર જેટલી જમીન વેચવા ખૂલ્લી મૂકાશે
ઉદ્યોગો અને રહેણાંકની સ્કીમ માટે વેચશે જમીન
ગ્રાહકને આકર્ષવા જમીનના ભાવ ઓછા રખાશે
સરકાર જંત્રીના દરોમાં પણ કરશે વધારો
રાજ્યમાં જંત્રીના દરોનું પુનઃ મૂલ્યાંકન કરાશે
નવા નિયમ મુજબ જંત્રીના દરોમાં થઇ શકે છે વધારો
જંત્રીના દરો વધવાથી મિલકત વેરો વધી શકે છે
સ્ટેમ્પ ડ્યૂટી અને રજિસ્ટ્રેશન ફીમાં રાહત આપવા વિચારણા
આર્થિક સુધાર માટે રચાયેલી કમિટીએ આપ્યાં કેટલાક સૂચનો
સરકાર ભારાંક પદ્ધતિમાં પણ સુધારો કરી શકે છે
મિલકત વેરા માટે સેલ્ફ એસેસમેન્ટ અને સેલ્ફ ડિક્લેરેશન
કેમ ઓછી થઈ આવક?
આ વખતે લોકડાઉનના કારણે રાજ્યને આવકમાં મોટો ફટકો પડ્યો છે. કેન્દ્રીય કરવેરામાં 6414 કરોડનો ફટકો પડશે જ્યારે કેન્દ્રીય ગ્રાંટના 1219 કરોડનો રાજ્ય સરકારને ફટકો પડી રહ્યો છે.
શું કરવામાં આવી ભલામણ?
પેટ્રોલ-ડિઝલમાં 7 થી 10 ટકાનો વેરો વધારવાની ભલામણ કરવામાં આવી છે.
સરકારીકર્મીનુ મોઘવારી ભથ્થુ જૂન 2021 સુધી સ્થગિત કરવા ભલામણ
કોવિડ-19 કોરોના વાયરસની મહામારીની સ્થિતી બાદ રાજ્યમાં આર્થિક ગતિવિધિઓ-ઊદ્યોગ-વેપાર-ધંધા-રોજગાર સહિતના ક્ષેત્રોના પૂર્નનિર્માણ-પૂર્નગઠનની ભલામણો સૂચવવા ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. ભારત સરકારના પૂર્વ નાણાં સચિવ ડૉ. હસમુખ અઢિયાની અધ્યક્ષતા હેઠળ કમિટી વૈશ્વિક મહામારીના સંકટમાંથી બહાર આવી ઝડપભેર જનજીવન-આર્થિક ગતિવિધિઓ પૂર્વવત બનાવવાની નવી દિશા બતાવશે.
6 એક્સપર્ટની છે સમિતી
આ ટાસ્ક ફોર્સમાં વિવિધ આર્થિક ક્ષેત્રોના 6 તજ્જ્ઞોનો સભ્ય તરીકે સમાવેશ થશે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ સમિતીમાં IIM અમદાવાદના પૂર્વ પ્રાધ્યાપક પ્રો. રવિન્દ્ર ધોળકીયા, જાણીતા ટેક્ષ કન્સલટન્ટ મૂકેશ પટેલ, ફાયનાન્સીયલ એકસપર્ટ પ્રદિપ શાહ, પૂર્વ આઇએએસ અધિકારી કિરીટ શેલત અને સભ્ય સચિવ તરીકે GIDCના એમ.ડી. એમ. થેન્નારસનની નિમણૂક કરી છે.
આ સમિતિ વચગાળાનો અહેવાલ બે સપ્તાહમાં રજૂ કરશે. આ સમિતિમાં પૂર્વ નાણાં સચિવ ડો. હસમુખ અઢિયા સાથે આર્થિક ક્ષેત્રોના 6 તજજ્ઞ સભ્યોની નિયુક્તિ કરવામાં આવી છે. આ સમિતિ એક્શન પ્લાન સાથેનો ભલામણ અહેવાલ એક મહિનામાં સરકારને આપશે. આ સમિતિ સેકટરલ અને સબ સેકટરલ આર્થિક નુકશાનના અંદાજો મેળવી સેકટર સ્પેસીફીક પૂર્નનિર્માણની ભલામણો કરશે.
અંદાજપત્રની રાજકોષિય, ફિઝકલ અને આર્થિક સ્થિતીની સમીક્ષા અને સુધારાત્મક પગલાં સૂચવશે.રાજ્યમાં શ્રમિકોની સરળ ઉપલબ્ધિ વ્યવસ્થાઓ અંગે સૂચનો આપશે અને આર્થિક અને નાણાંકીય રીવાઇવલ માટેનો શોર્ટ ટર્મ-મીડીયમ ટર્મ અને લોંગ ટર્મ એકશન પ્લાન સૂચવશે. સમિતીના અન્ય કાર્યક્ષેત્રોમાં જે બાબતોને આવરી લેવામાં આવી છે તેમાં રાજ્યની રાજકોષિય-ફિઝકલ અને અંદાજપત્રીય બજેટ સ્થિતીની સમીક્ષા અને તેના સુધારાત્મક પગલાંઓ સૂચવવાની બાબતનો પણ સમાવેશ કરાયો છે.
એટલું જ નહિ, કોવિડ-19 મહામારી પછીની ઉદભવનારી સ્થિતીમાં રાજકોષિય ખાધ-ફિઝકલ ડેફિસીટ અંદાજો અને વર્તમાન કર માળખાની પણ પૂર્નવિચારણા તેમજ પૂર્નગઠનની બાબતે પણ આ સમિતી ભલામણો કરશે. રાજ્યના અર્થતંત્રને વેગવંતુ બનાવવામાં ઊદ્યોગોને ઉત્પાદન માટે શ્રમિકો-લેબર એક મહત્વપૂર્ણ પરિબળ છે.