7 જુલાઇએ ભારતમાં 55 દિવસ બાદ ફરીથી કોરોના વાયરસના કેસ વધ્યા. 14 જુલાઇએ ફરી ભારતમાં એક્ટિવ કેસની સંખ્યામાં વધારો નોંધાયો.
વિશ્વભરના કેટલાય દેશોમાં કોરોના વાયરસના કેસ વધ્યા
બ્રિટન અને ઈન્ડોનેશિયામાં કોરોના વાયરસે વિકરાળ રૂપ ધારણ કર્યું
ભારતમાં કેટલા કેસ સામે આવી રહ્યા છે? ચિંતા કરવાની જરૂર છે કે નહીં?
વિશ્વના કેટલાય દેશોમાં શરૂ થઈ ત્રીજી લહેર
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખે હાલમાં જ કહ્યું હતું કે દુનિયા કોરોના વાયરસની ત્રીજી લહેરની પ્રારંભિક તબક્કામાં આવી ગઈ છે. ICMRનું માનવું છે કે ભારતમાં ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં કોરોના વાયરસની ત્રીજી લહેર આવી શકે છે જ્યારે કેટલાક નિષ્ણાતો દાવો કરી રહ્યા છે કે ભારતમાં કોરોના વાયરસની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે.
ભારતમાં ક્યારે ક્યારે વધ્યા એક્ટિવ કેસ?
7 જુલાઇએ ભારતમાં 55 દિવસ બાદ ફરીથી કોરોના વાયરસના કેસ વધ્યા. 14 જુલાઇએ ફરી ભારતમાં એક્ટિવ કેસની સંખ્યામાં વધારો નોંધાયો. ભારતના 73 જિલ્લા હજુ એવા છે જ્યાં પોઝિટિવિટી રેટ 10 ટકા છે, જેનો અર્થ થાય છે કે ટેસ્ટ કરાવી રહેલા દર 100માંથી 10 લોકોમાં કોરોના વાયરસ સંક્રમણની પુષ્ટિ થઈ રહી છે. નીતિ આયોગના ડૉક્ટર વિકે પૉલનું માનવું છે કે કોરોના કેસની સંખ્યામાં જે ઘટાડો આવી રહ્યો હતો તે ઓછો થઈ રહ્યો છે જે ચેતવણીરૂપ સંકેત છે.
કયા રાજ્યોમાં સૌથી વધારે ચિંતા?
દેશના છ રાજ્યોમાં કોરોના વાયરસને લઈને સૌથી વધારે ચિંતા વધી રહી છે જેમાં કેરળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, ઓડિશા, કર્ણાટક અને આંધ્ર પ્રદેશનો સમાવેશ થાય છે. કુલ કેસના 80 ટકા જ્યારે 84 ટકા મોત આ જ રાજ્યોમાં થઈ રહી છે. કેરળ રાજ્ય તેમાં સૌથી વધારે પ્રભાવિત છે જ્યારે એક્ટિવ કેસના મામલે મહારાષ્ટ્ર બીજા નંબરે છે.
નોંધનીય છે કે ભારતના કેટલાક રાજ્યમાં કોરોના વાયરસના કેસ ઘટવાના કારણે લોકો બેદરકારી દાખવી રહ્યા છે. કેન્દ્ર સરકાર પણ કોરોના વાયરસના નિયમભંગ સામે ચિંતિત છે.