કોરોનાની બીજી લહેર ધીમી પડવાની વચ્ચે દેશમાં ફરી એકવાર કોરોનાનાં કેસો વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 19 દિવસમાં દેશમાં મહત્તમ 43 હજાર નવા કેસ નોંધાયા છે.
કેરળથી ભારતમાં કોરોનાની ત્રીજી લહેર શરુ થઈ હોવાની આશંકા
એક દિવસમાં કેરળમાં રેકોર્ડબ્રેક 22,000 કરતા વધારે કેસો નોંધાયા
પૂર્વોત્તર રાજ્યોમાં પણ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે
કેરળથી ભારતમાં કોરોનાની ત્રીજી લહેર શરુ થઈ હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. કારણ કે એક દિવસમાં કેરળમાં રેકોર્ડબ્રેક 22,000 કરતા વધારે કેસો નોંધાયા છે. કેરળ ઉપરાંત, પૂર્વોત્તર રાજ્યોમાં પણ કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
ગત 24 કલાકમાં 43 હજાર 654 નવા કેસ નોંધાયા
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર ગત એક દિવસમાં દેશની અંદર કોરોનાના 43 હજાર 654 નવા કેસ નોંધાયા છે. જેમાંથી અડધાથી વધારે કેસ ફક્ત કેરળ છે. ત્યારે આ દરમિયાન કોરોનાથી થયેલા મોતના આંકડા હજું પણ વધી રહ્યા છે અને આ સમયમાં 640 લોકો સંક્રમિત થવાથી જીવ ગયા છે. જો કે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 4 લાખની નીચે બનેલી છે. હાલમાં દેશમાં કોરોનાના 3 લાખ 99 હજાર 436 એક્ટિવ કેસ છે. ગત 24 કલાકમાં કોરોનાથી 41 હજાર 678 લોકો સાજા થયા છે. દેશભરમાં અત્યાર સુધી કોરોનાના કુલ 4 લાખ 22 હજારથી વધારે જીવ ગયા છે. ત્યારે 3 કરોડ, 6 લાખ 63 હજાર 147 લોકો સાજા થયા છે. દેશમાં કોરોનાથી સાજા થનારાનો દર હાલમાં 97.39 ટકા પર છે. ત્યારે દૈનિક સંક્રમણ દર 5 ટકાની નીચે છે.
કેરળે બનાવ્યો રેકોર્ડ
મંગળવારે કેરળમાં કોરોનાના 22 હજાર 129 નવા મામલા આવ્યા છે. ગત 51 દિવસમાં પહેલી વાર કોઈ રાજ્યમાં કોરોનાના 20 હજારથી વધારે નવા મામલા એક દિવસમાં મળ્યા છે. રાજ્યમાં તપાસ સંક્રમણ દર (ટીપીઆર) ફરીથી 12 ટકાને પાર થઈ ગયો છે. કેરળમાં સંક્રમણના નવા મામલાના રેકોર્ડે એક વાર ફરીથી ચિંતા વધારી છે. તાજા આંકડા મુજબ રાજ્યમાં એક દિવસની અંદર 156 લોકોના કોરોનાથી જીવ ગયા છે.