પોપ્યુલર સિરીયલ તારક મહેતા...માં બબિતાજીનું પાત્ર ભજવનાર મુનમુન દત્તાએ શો છોડી દીધો છે તેવી અફવા સામે આવી છે.
બબિતાએ શો છોડી દીધો ?
તારક મહેતામાં થશે મોટો બદલાવ ?
અસિત મોદીએ શું કહ્યું ?
બબિતાજીનું પાત્ર ભજવનાર મુનમુન જાતિસૂચક શબ્દનો પ્રયોગ કરીને ચર્ચામાં આવી હતી અને તેના વિરુદ્ધ ઘણા રાજ્યોમાં ફરિયાદ પણ થઇ હતી. જે બાદ તે તારક મહેતા...માં દેખાઇ નથી. ફેન્સ ક્યાસ લગાવી રહ્યાં છે કે તેણે શો છોડી દીધો છે.
મિશન કાલા કૌઆનો હિસ્સો નહી
સમગ્ર ટીમ જ્યારે દમણમાં મિશન કાલા કૌઆ શૂટ કરી રહી હતી ત્યારે મુનમુન તેનો પાર્ટ નહોતી. વિવાદમાં સપડાયા બાદથી મુનમુન શોના સેટ પર આવી નથી અને તેણે કોઇ શૂટ પણ કર્યુ નથી.
પ્રોડ્યુસરે શું કહ્યું
ઇન્ડસ્ટ્રીમાં જોરદાર ચર્ચા ચાલી રહી છે કે મુનમુન હવે શો છોડી દેશે પરંતુ પ્રોડક્શન હાઉસે કન્ફર્મ કર્યુ છે કે મુનમુન શો છોડવાની નછી. અસિત કુમાર મોદીએ આ વાતની પુષ્ટી કરી છે.
શોના બધા પાત્રો એટલા ફેમસ થઇ ગયા છે કે દરેક કેરેક્ટરના અંગત જીવનમાં શું થઇ રહ્યું છે તેને જાણવા માટે ફેન્સ તત્પર બન્યા છે. હાલમાં જ એક એવી ઘટના સામે આવી છે જેને જાણીને તમને પણ ગુસ્સો આવી જશે.
મુનમુન દત્તા એટલે કે બબિતાજી જે થોડા સમય પહેલા એક જાતિ માટે બોલવા પર ચર્ચામાં આવી હતી તેણે મહત્વનો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે, તેના બોયફ્રેન્ડે તેની સાથે મારપીટ કરી હતી.
વેલેન્ટાઇન્સ ડે પર મારપીટ
વર્ષ 2008માં જ્યારે મુનમુન એટલી ફેમસ નહોતી પરંતુ ચર્ચામાં રહેતી હતી. ત્યારે એક્ટર અરમાન કોહલી સાથે તે રિલેશનશીપમાં હતી. વેલેન્ટાઇન્સ ડે પર તેના બોયફ્રેન્ડે એક્ટ્રેસ સાથે મારપીટ કરી હતી. બંનેની રિલેશનશીપ શરૂ થાય તે પહેલા જ બ્રેકઅપ થઇ ગયુ હતુ.
પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો મામલો
વેલેન્ટાઇન્સ ડે પર તેના બોયફ્રેન્ડે એક્ટ્રેસ સાથે મારપીટ કરી હતી, જે બાદ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો હતો અને બાદમાં કોર્ટ સુધી. પોતાના આવા બિહેવિયર માટે અરમાને માફી પણ માંગી લીધી હતી અને ફાઇન ભરવો પડ્યો હતો.
થોડા સમય પહેલા કર્યો ખુલાસો
બબિતાએ થોડા સમય પહેલા ખુલાસો કર્યો હતો કે જ્યારે તે 13 વર્ષની હતી ત્યારે તેના ટ્યુશન ટીચરે તેની પેન્ટમાં હાથ નાંખી દીધો હતો અને તે સમયે પેરેન્ટ્સને શું કહેવું તે ખબર નહોતી પડતી પરંતુ બાદમાં પુરુશોથી અજીબ પ્રકારની નફરત થવા લાગી હતી.