ઘણી શાળાઓમાં જ્યારે વિદ્યાર્થી કોઈ ભૂલ કરે કે ગંભીર તોફાન કરે ત્યારે તેમને શિક્ષકો કાન પકડીને ઉઠબેસ કરવાની સજા ફટકારતા હોય છે. મનોચિકિત્સકોના મતે જાહેરમાં, બધાની વચ્ચે ઉઠબેસ કરાવવાથી બાળકો ખુબ શરમ અનુભવે છે અને તેમનો વિકાસ રૂંધાઈ જાય છે. શાળામાં ઉઠબેસની સજા કરાવવાનો ઉગ્ર વિરોધ થતો રહે છે ત્યારે હરિયાણામાં આ સજાને શાળાના બાળકોના દિમાગ સતેજ કરવાનો કારગર ઉપાય ગણાવવામાં આવી રહ્યો છે.
(પ્રતિકાત્મક તસ્વીર)
ઘણી શાળાઓમાં જ્યારે વિદ્યાર્થી કોઈ ભૂલ કરે કે ગંભીર તોફાન કરે ત્યારે તેમને શિક્ષકો કાન પકડીને ઉઠબેસ (sit-ups) કરવાની સજા ફટકારતા હોય છે. મનોચિકિત્સકોના મતે જાહેરમાં, બધાની વચ્ચે ઉઠબેસ કરાવવાથી બાળકો ખુબ શરમ અનુભવે છે અને તેમનો વિકાસ રૂંધાઈ જાય છે. શાળામાં ઉઠબેસની સજા કરાવવાનો ઉગ્ર વિરોધ થતો રહે છે ત્યારે હરિયાણા (Haryana) માં આ સજાને શાળાના બાળકોના દિમાગ સતેજ કરવાનો કારગર ઉપાય ગણાવવામાં આવી રહ્યો છે તે જાણીને તમને નવાઈ લાગશે.
આ વિવાદિત નિર્ણયની હાલ ચોતરફથી આકરી ટીકા અને વિરોધ પણ થઈ રહ્યા છે. હરિયાણાની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને હવે પ્રાર્થના બાદ રોજ કાન પકડીને ઉઠબેસ કરાવવામાં આવશે. શિક્ષણ વિભાગ તરફથી પ્રાયોગિક રીતે ઉઠબેસની આ દિનચર્યા ભિવાનીમાં શરૂ કરવામાં આવી છે, પરંતુ તેના ફાયદા ધ્યાનમાં રાખીને હવે જિલ્લાના ફરમાણા સ્થિત માધ્યમિક વિદ્યાલયોમાં પણ તેની શરૂઆત કરવામાં આવશે.
Haryana: Under State School Education Board Pilot Project, Govt School in Bhiwani makes sit-ups mandatory for students. Rajeev Kr, Education Board Secy, says, “It's super brain yoga. It's scientifically proven that it increases brain efficiency. We're starting this from tomorrow” pic.twitter.com/Rk3r4e7XUi
હકીકતમાં યોગ દિવસ નિમિત્તે એક યોગ વિશેષજ્ઞએ જણાવ્યું હતું કે, કાન પકડીને ઉઠબેસ કરવાથી દિમાગ સતેજ બને છે અને આ મગજની તંદુરસ્તી માટે શ્રેષ્ઠ યોગ છે. યાદશક્તિ વધારવા માટે તેને ‘સુપર બ્રેઈન યોગ’ પણ ગણાવાય છે. હરિયાણા વિદ્યાલય શિક્ષા બોર્ડના સચિવ રાજીવપ્રસાદે દાવો કર્યો છે કે, યોગના વિશેષજ્ઞો સાથે વિચાર-વિમર્શ કર્યા બાદ જ રાજ્યની શાળાઓમાં પ્રાર્થના બાદ ઉઠબેસ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મનોચિકિત્સકો જો કે આ વાત સાથે સહમત થતા નથી. તેમનું કહેવું છે કે, પ્રાર્થના બાદ જાહેરમાં કાન પકડીને ઉઠબેસ કરાવવાથી બાળકો અપમાનજનક સ્થિતિમાં મૂકાય છે અને તેઓ લઘુતાગ્રંથિ અનુભવવા લાગે છે. યોગ કરવા કે દિમાગ સતેજ બનાવવા આ પ્રકારનાં ગતકડાં કરવાની કોઈ જરૂર નથી હોતી. કુદરતી રીતે જ બાળકોની ગ્રહણશક્તિ અને યાદશક્તિ આ તબક્કામાં સતેજ હોય જ છે. આ પ્રકારના વ્યાયામની તેમના કુમળા માનસ પર ઉલટી અસર પણ પડી શકે છે અને તેમનો વિકાસ રૂંધાઈ શકે છે.