રોહતકમાં રોડ એક્સિડેન્ટમાં ત્રણ લોકોના કરૂણ મોત થયા છે જ્યારે એક યુવક ઘાયલ થયો હતો, જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ હાલ આ મામલે તપાસ કરી રહી છે.
રોહતકમાં ભીષણ માર્ગ અકસ્માત: 3નાં મોત
એક યુવક ઘાયલ, હોસ્પિટલમાં દાખલ
પોલીસ હાલ આ મામલે તપાસ કરી રહી છે
દેશમાં ઠંડીનું જોર યથાવત છે. ગાઢ ધુમ્મસના કારણે અનેક કાર ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હરિયાણાના રોહતકમાં શનિવારે એક દુ:ખદ માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હોવાની માહિતી સામે આવી રહી છે. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
Haryana | 3 people died in a collision between a vehicle and a trolley near Lahli village in Rohtak.
All three bodies have been sent to Rohtak PGI Hospital for post-mortem and one injured person is admitted there. The investigation is being done: Kalanaur SHO Sushila (05.02) pic.twitter.com/aL9ExqPf3H
પોલીસે જણાવ્યું કે રોહતકના લાહલી ગામ પાસે ટ્રોલી અને કાર વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે રોહતક પીજીઆઈમાં મોકલવામાં આવ્યા છે અને ઈજાગ્રસ્ત યુવકને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, 2020માં ભારતમાં રોડ એક્સિડેન્ટમાં સૌથી વધારે મોત નશામાં ડ્રાઇવિંગ અને ખોટી સાઇડ ડ્રાઇવિંગને કારણે થયા છે. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયના જણાવ્યા અનુસાર, મહામારીના પહેલા વર્ષમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. રાજ્યસભામાં એક લેખિત જવાબમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે 2020 દરમિયાન ભારતમાં કુલ 3,66,138 માર્ગ અકસ્માતો થયા છે.
જોકે ગયા વર્ષે 4,37,396 માર્ગ અકસ્માતના કેસો સામે આવ્યા છે. ગડકરીએ કહ્યું કે 2,721 અકસ્માતો લાલ લાઇટ જમ્પ કરતા વાહનોને કારણે થયા છે. વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગના કારણે પણ 6,753 અકસ્માતો થયા છે.