મહારાષ્ટ્ર અને વિધાનસભા ચૂંટણીમાં સરકાર બનાવવાને લઇને ભાજપ એડીચોટીનું જોર લગાવી રહ્યું છે ત્યારે હરિયાણામાં ક્યાંક અંશે થોડી રાહત મળી રહી હોય તેવુ લાગી રહ્યું છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ હરિયાણામાં 5 અપક્ષ ઉમેદવારોએ ભાજપને સમર્થન આપવાની જાહેરાત કરી છે. જેને લઇને મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે દિલ્હી ખાતે હરિયાણા ભવનમાં અપક્ષ ઉમેદવારો સાથે મુલાકાત કરી છે.
હરિયાણામાં 5 અપક્ષ ઉમેદવારોનું ભાજપને સમર્થન
હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર દિલ્હીમાં
5 અપક્ષ ઉમેદવારો સાથે કરી મુલાકાત
હરિયાણામાં પાંચ અપક્ષ ઉમેદવારોનું ભાજપને સમર્થન
ગુરૂવારે મોડી રાત્રે હરિયાણાના પાંચ અપક્ષ ઉમેદવારોએ ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા અને હરિયાણાના ભાજપના પ્રભારી અને મહાસચિવ અનિલ જૈન સાથે હરિયાણામાં ભાજપને સમર્થન આપવા પર મહોર લગાવી દીધી છે. આમ હવે હરિયાણામાં ભાજપ પાસે કુલ 40 + 5 = 45 ધારાસભ્યોનું સમર્થન થઇ ગયું છે.
હરિયાણામાં આ 5 અપક્ષ ઉમેદવારોએ આપ્યું સમર્થન
હરિયાણામાં ભાજપની સરકાર બનવાનો રસ્તો મોકળો બનતો જાય છે તેવુ લાગી રહ્યું છે. જેમાં 5 અપક્ષ ઉમેદવારોએ સરકાર બનાવવા ભાજપને સમર્થન આપવાનું જાહેર કર્યું છે. જેમાં રણધીર ગોલન - પુંડરી, બલરાજ કુંડૂ - મહમ, રણજીત સિંહ - રાનિયા, રાકેશ દૌલતાબાદ - બાદશાહપુર, ગોપાલ કાંડા - સિરસાનો સમાવેશ થાય છે.
હરિયાણાના મુખ્યમંત્રી દિલ્હીની મુલાકાતે
હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર, રાજ્યમાં સરકાર ગઠનની હલચલ પહેલા દિલ્હીની મુલાકાતે પહોંચ્યા છે. જ્યાં તેઓ કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરશે.